બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને રાજીનામાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
બ્રિટનમાં રાજકીય કટોકટી
બોરિસ જોન્સને આપ્યું પ્રધાનમંત્રી પદેથી રાજીનામું
દેશજોગ સંબોધનમાં કરી સત્તાવાર જાહેરાત
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને આખરે તેમના રાજીનામાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ પહેલા મીડિયા રિપોર્ટમાં તેમના રાજીનામાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે તેમણે ખુદ દેશજોગ સંબોધનમાં આ વાતની જાહેરાત કરી દીધી છે.
British PM Johnson announces resignation, says he's sad to give up the best job in the world
શું કહ્યું બોરિસ જોન્સને
પોતાના રાજીનામાની પુષ્ટિ આપતા બોરિસ જોન્સને કહ્યું કે તેમની પાર્ટી નવા નેતા અને પ્રધાનમંત્રીની પસંદગી કરશે. તેમણે કહ્યું કે મને મારી સિદ્ધિઓ બદલ ખૂબ ગર્વ છે નવા નેતાની પસંદગી સુધી હું પીએમ પદેથી ચાલુ રહીશ.
રાજનીતિમાં કોઈ કાયમી નથી, નવા પ્રધાનમંત્રીને પુરો સાથ-જોન્સન
બોરિસ જોન્સને રાષ્ટ્રજોગ પ્રવચનમાં કહ્યું કે રાજનીતિમાં કોઈ કાયમી નથી અને તેઓ નવા પ્રધાનમંત્રીને પુરો સાથ આપશે.
In politics, no one is remotely indispensable, says British PM Boris Johnson in address to the nation
41 મંત્રીઓના બળવા બાદ પીએમની ખુરશી ગઈ
બ્રિટનમાં સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો અને 41 મંત્રીઓના બળવા બાદ વડા પ્રધાન બોરિસ જોન્સન મુશ્કેલીમાં મુકાયા હતા અને તેથી તેમણે રાજીનામું આપવાની ફરજ પડી હતી. 24 કલાકથી ઓછા સમયમાં ઓછામાં ઓછા 41 મંત્રીઓ અને સંસદીય સચિવોએ રાજીનામું આપ્યું છે. એટલું જ નહીં, ગૃહમંત્રી પ્રિતી પટેલ અને પરિવહન મંત્રી ગ્રાન્ટ શૅપ્સ સહિત બે ડઝન વરિષ્ઠ મંત્રીઓ બુધવારે PMને મળ્યા અને તેમને રાજીનામું આપવા કહ્યું હતું.જો કે, હાલ ચર્ચાઈ રહ્યું છે કે, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજે વડાપ્રધાનના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
In politics, no one is remotely indispensable, says British PM Boris Johnson in address to the nation
વડા પ્રધાન જ્હોન્સનની કટોકટીમાં ઉમેરો કરતાં, તેમની સરકારના વરિષ્ઠ પ્રધાનો બુધવારે સાંજે વડા પ્રધાનના નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ પર ગયા અને તેમને પદ છોડવા કહ્યું હતું. સૌથી મહત્વની વાત એ હતી કે તેમના કટ્ટર સમર્થક ગણાતા ગૃહમંત્રી પ્રિતિ પટેલનો પણ આ મંત્રીઓમાં સમાવેશ થાય છે. મંત્રીઓ પર દબાણ લાવવા માટે જ્હોન્સન વ્યક્તિગત રીતે મળ્યા હતા. પરંતુ તેમના 15 થી વધુ મંત્રીઓએ આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની સંભાવનાઓને સુધારવા માટે નેતૃત્વમાં પરિવર્તનનો આગ્રહ રાખ્યો હોવાનું માનવામાં આવે છે.
ભારતીય મૂળના ઋષિ સુનક બની શકે નવા પ્રધાનમંત્રી
બોરિસ જોનસનના રાજીનામા બાદ ઋષિ સુનક દેશના આગામી વડાપ્રધાન બની શકે છે. પીએમ બનવાની રેસમાં જે નેતાઓ આગળ ચાલી રહ્યાં છે તેમાં ઋષી સુનક પહેલા સ્થાને છે અને તેમની શક્યતા વધારે છે.
ઋષિ સુનક વિશે પાંચ મોટી વાત
(1) યૂકેમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે એવી ચર્ચા છે કે બોરિસ જોનસનના રાજીનામા બાદ ઋષિ સુનક દેશના આગામી વડાપ્રધાન બની શકે છે. તમને જણાવી દઈએ કે ઋષિ સુનક ભારતીય મૂળના છે અને જો તેઓ પીએમ બનશે તો તેઓ પહેલા ભારતીય હશે જે બ્રિટનના પ્રધાનમંત્રી બનશે. તમને જણાવી દઈએ કે તેમણે હાલમાં જ નાણામંત્રી પદથી રાજીનામુ આપ્યુ હતુ.
(2) તેમના વડાપ્રધાન બનવાની પણ સટ્ટાકીય બજારમાં ચર્ચા ચાલી રહી છે. પૂર્વ રક્ષા મંત્રી પેની મોર્ડૌંટ સાથે પણ તેમના નામની ચર્ચા ચાલી રહી છે. કોરોના સંકટ દરમિયાન તેમના કાર્યોને કારણે તેમની લોકપ્રિયતા ઝડપથી વધી છે. સાથે જ આર્થિક પેકેજના નિર્ણયોના કારણે તેમને વેપારી વર્ગનો પણ સાથ મળી રહ્યો છે.
(3) ઋષિને થોડા સમય પહેલા તેના પરિવારના આર્થિક વ્યવહારોને લઈને પણ વિવાદનો સામનો કરવો પડ્યો હતો. તેમ પત્નીના અમેરિકન ગ્રીન કાર્ડ અંગે પણ સવાલો ઉભા થયા હતા.
(4) થોડા દિવસો પહેલા, તેમને કોવિડ લોકડાઉન તોડવા બદલ ડાઉનિંગ સ્ટ્રીટમાં એક સભામાં દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
(5) ઋષિના દાદા-દાદી પંજાબથી આવ્યા હતા. સુનકે ઈન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિની દીકરી અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા છે અને સંતાનમાં તેમને બે દીકરીઓ છે.