ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું કે બોરિસની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. પીએમ બોરિસ જોનસને ICUમાંથી બહાર લાવવામાં આવ્યા છે. હાલ દેખરેખ માટે તેમને વોર્ડમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.
કોરોના પોઝિટિવ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની સ્થિતિ સુધારા પર છે. તેમને ઈન્ટેસિવ કેર યૂનિટ (ICU)માંથી બહાર લાવવામાં આવ્યા છે. ડાઉનિંગ સ્ટ્રીટના નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી.
ડાઉનિંગ સ્ટ્રીટના એક પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું કે તેમની સ્થિતિમાં સુધારો જોતા બોરિસ જોનસનને આઈસીયુમાંથ બહાર લવાયા છે. 55 વર્ષીય બોરિસ જોનસન રવિવારે લંડનના સેન્ટ થોમર્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત વધારે ખરાબ થતા તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Great News: Prime Minister Boris Johnson has just been moved out of Intensive Care. Get well Boris!!!
ત્યારે ICUમાંથી બોરિસના બહાર આવતા ડોનાલ્ડ ટ્રમ્પે આનંદ વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે , ‘મોટા સમાચારઃ પ્રધાનમંત્રી બોરિસ જોનસન ICUમાંથી બહાર આવી ગયા છે. જલ્દી સાજા થાવ બોરિસ!!!'
ઉલ્લેખનીય છે કે 26 માર્ચની રાતે પીએમ બોરિસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને રવિવારે સાંજે 5 એપ્રિલે લંડનની થોમસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 6 એપ્રિલે તેમને ICUમાં લઈ જવાયા હતા.
ડઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે તે ઘરેથી કામ નથી કરી રહ્યા પણ તેઓ બીજાને મળવામાં સક્ષમ બતાવવામાં આવી રહ્યા છે. પીએમ જોનસનની જગ્યાએ વિદેશ સચિવ ડોમિનક રાબ કામકાજ કરી રહ્યા છે. જો રાબની તબિયત ખરાબ થશે તો એક્સચેકરના ચાન્સલર ઋષિ સુનક તેમની જગ્યાએ કામ જોશે.
પીએમ જોનસને 23 માર્ચે બ્રિટનમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. આ અઠવાડિએ તેની સમીક્ષા કરવામાં આવશે.