બ્રિટિશ પીએમ બોરિસ જોનસન 21 એપ્રિલે ભારત યાત્રા પર આવી રહ્યા છે. તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.
બ્રિટિશ પીએમ ભારતમાં આવશે
પ્રથમ વાર બ્રિટિશ પીએમ અમદાવાદમાં આવશે
પીએમ મોદી સાથે મોટી ડીલ પર થઈ શકે છે ચર્ચા
બ્રિટિશ પીએમ બોરિસ જોનસન 21 એપ્રિલે ભારત યાત્રા પર આવી રહ્યા છે. તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જોનસની યાત્રા અમદાવાદમાંથી શરૂ થવાની છે. અને ત્યાર બાદ તેઓ 22 એપ્રિલે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરશે. જોનસનનો આ પ્રવાસ ભારત-બ્રિટેન મુક્ત વેપાર કરાર વાર્તાઓમાં 26 ચેપ્ટરમાંથી ચારના સફળતાપૂર્વક પુરા થયા બાદ થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી અને જોનસને તેની પ્રક્રિયા પુરી થવા પર એક ટાઈમલાઈન પર ચર્ચા કરશે. શરૂઆતમાં તેને એક વર્ષમાં પુરુ કરવાની યોજના બનાવી હતી. જોનસન દ્વારા નવી વિજ્ઞાન, સ્વાસ્થ્ય અને ટેકનોલોજી પ્રોજેક્ટની સાથે સાથે ભારતમાં મુખ્ય ઉદ્યોગોમાં મોટા રોકાણની ઘોષણા કરવાની આશા છે.
પહેલી વાર બ્રિટિશ પીએમ આવશે ગુજરાત
આ પહેલી વાર હશે, જ્યારે બ્રિટેનના કોઈ વડાપ્રધાન ભારતના પાંચમા નંબરના સૌથી મોટા રાજ્ય અને બ્રિટેનમાં લગભગ અડધી બ્રિટિશ-ભારતતીય વસ્તીના પૈતૃક ઘર ગુજરાતનો પ્રવાસ કરશે. તો વળી આશા છે કે, પોતાની ગુજરાત યાત્રા દરમિયાન તેઓ કંઈક મોટી જાહેરાત કરી શકે છે.
22 એપ્રિલે પીએમ મોદી સાથે કરશે મુલાકાત
ગુજરાત યાત્રા બાદ બ્રિટિશ પીએમ જોનસન પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરવા માટે 22 એપ્રિલે નવી દિલ્હી જશે. પીએમ મોદી સાથે તેઓ ભારતની રણનીતિ રક્ષા, રાજનયિક અને આર્થિક ભાગીદારી પર ઉંડાણપૂર્વક ચર્ચા કરશે. જેનો ઉદ્દેશ્ય આપણી ભાગીદારીને વધારે મજબૂત કરવાનો રહેશે. તથા ભારત પ્રશાંતમાં સુરક્ષા સહયોગને આગળ વધારવાનો હશે.
બ્રિટિશ સરકારના જણાવ્યા અનુસાર જોનસન આગામી ભારત યાત્રાનો ઉપયોગ મુક્ત વેપાર કરાર પર વાર્તામાં પ્રગતિ માટે કરશે, જેનાથી 2035 સુધી વાર્ષિક 28 બિલિયન પાઉંડ એટલે કે, 36.5 બિલિયન અમેરિકી ડોલર દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન મળવાની આશા છે.