નીતિ આયોગના સભ્ય વીકે પોલે એક ડરામણી ચેતવણી આપતા જણાવ્યું કે જો ભારતમાં બ્રિટન જેવુ સંક્રમણ ફેલાયું તો અહીં રોજના 14 લાખ કેસ આવી શકે છે.
નીતિ આયોગના સભ્ય વીકે પોલનો આડકતરો સંકેત
ભારતમાં ત્રીજી લહેર આવશે
બ્રિટનમાં કોરોનાનું ગંભીર સંક્રમણ ફેલાયું
નીતિ આયોગના સભ્ય વીકે પોલે એક ડરામણી ચેતવણી
કહ્યું-ભારતમાં ત્રીજી લહેરમાં રોજના 14 લાખ કેસ આવી શકે
ઓમિક્રોનના ખતરા વચ્ચે બ્રિટનમાં ફેલાઈ રહેલા ગંભીર કોરોના સંક્રમણને લઈને એક ડરામણી ચેતવણી આપતા પૌલે જણાવ્યું કે જો આપણે બ્રિટનમાં ઓમિક્રોના સંક્રમણની ઝડપ જોઈએ અને ભારતની વસતી સાથે તેની તુલના કરીએ તો ભારતમાં રોજના 14 લાખ કેસ આવી શકે છે. તેમણે એવું પણ જણાવ્યું કે દરેક કેસની જિનોમ સિકન્વસિંગ ન થઈ શકે.
કોરોનાના વધી રહેલા કેસ માટે ઓમિક્રોન સંક્રમણ જવાબદાર
નીતિ આયોગના સભ્ય વીકે પોલે એવું પણ જણાવ્યું કે કોરોનાના વધી રહેલા કેસ માટે ઓમિક્રોન સંક્રમણ જવાબદાર મનાઈ રહ્યું છે પરંતુ તે અંગે હજુ ઘણી બાબતો સ્પસ્ટ બની નથી તેની પર સંશોધન ચાલી રહ્યું છે અને તમામ ઘટનાક્રમ પર સરકારની નજર છે. તેમણે કહ્યું કે એવું કહેવાઈ રહ્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટ હળવું સંક્રમણ ફેલાવે છે.
ઓમિક્રોનના ખતરા વચ્ચે બ્રિટનમાં ફેલાયું ગંભીર સંક્રમણ
ઓમિક્રોનના ખતરા વચ્ચે બ્રિટનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. બ્રિટનમાં રોજના 85,000 થી ઉપર કેસ આવી રહ્યાં છે. તે ઉપરાંત ત્યાં ઓમિક્રોનથી દુનિયાનું પહેલું મોત પણ થઈ ચૂક્યુ છે.
દરેક સેમ્પલનું જિનોમ સિકવન્સિંગ કરવું શક્ય નથી
વીકે પોલે કહ્યું કે દરેક સેમ્પલનું જિનોમ સિકવન્સિંગ કરવું શક્ય નથી. જિનોમ સિકવન્સિંગ કોઈ નિદાનનું સાધન નહીં પણ તકેદારી અને મહામારી આકલનનું ટૂલ છે. આપણે ખાતરી આપી શકીએ કે પર્યાપ્ત અને પદ્ધતિસર સેમ્પલિંગ હાથ ધરાઈ રહ્યું છે.
ઓમિક્રોન કોરોના વેક્સિનને બેઅસર કરી શકે છે
ઉલ્લેખનીય છે કે વીકે પોલ એવું કહી ચૂક્યા છે કે ઓમિક્રોન વેરિયન્ટ કોરોના વેક્સિનને બેઅસર કરી શકે છે. તેને માટે બીજા વૈકલ્પિક રસ્તાઓ પણ તૈયાર રાખવા જોઈએ તેવું તેમનું માનવું છે.