બ્રિટનમાં કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વના તમામ દેશોની જેમ અર્થતંત્રને ખૂબ નુકશાન પહોંચ્યું છે. અહીંના અર્થતંત્રને ફરીથી ઉભું કરવા માટે સરકારે એક અનોખો ઉપાય કાઢ્યો છે. અહીંના ભારતીય મૂળના નાણામંત્રી રિશી સુનકે જાહેરાત કરી છે કે ચોક્કસ શરતો સાથે દેશની તમામ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને 50% બિલ જ ચૂકવવાનું રહેશે જયારે 50% બિલ સરકાર ભોગવશે.
દુનિયામાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચી ગયો છે. યુરોપમાં ઊંચા મૃત્યુદર પછી થોડા સમયથી કોરોનાના નવા કેસ ઉપર નિયંત્રણ આવી ગયું છે. આમ છતાં બ્રિટનમાં લોકડાઉન ખુલી ગયા પછી પણ લોકો વાયરસના ભયને કારણે રેસ્ટોરન્ટ જવાનું ટાળે છે. જો કે આ કારણે રેસ્ટોરન્ટ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. અહીંના અર્થતંત્રને ફરીથી ઉભું કરવા માટે સરકારે એક અનોખો ઉપાય કાઢ્યો છે. અહીંના ભારતીય મૂળના નાણામંત્રી રિશી સુનકે જાહેરાત કરી છે કે ચોક્કસ શરતો સાથે દેશની તમામ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને 50% બિલ જ ચૂકવવાનું રહેશે જયારે 50% બિલ સરકાર ભોગવશે.
આ શરતોનું પાલન કરવું પડશે
આ યોજનાનું નામ Eat Out to Help Out આ યોજના 500 મિલિયન પાઉન્ડ એટલે કે આશરે 5000 હજાર કરોડ રૂપિયાની છે. આ યોજના ફક્ત ડાઇન ઈન માટે જ છે અને પ્રતિ વ્યક્તિ મહત્તમ 10 પાઉન્ડ જેટલું ડિસ્કાઉન્ટ મળશે જેમાં આલ્કોહોલનો ડિસ્કાઉન્ટમાં સમાવેશ થશે નહીં. આ યોજના ફક્ત અઠવાડિયામાં સોમવાર, મંગળવાર અને બુધવારે જ લાગુ પડશે.
હજુ આટલું પણ પૂરતું નથી તેવી ભીતિ
બ્રિટનમાં રેસ્ટોરન્ટ, કાફે અને પબ 18 લાખથી વધારે લોકોને રોજગારી આપે છે. એવું માનવામાં આવે છે કે બ્રિટનમાં 33% જેટલા બાર અને રેસ્ટોરન્ટ કાયમી બંધ થઇ જાય તેવી શક્યતા છે. સરકારના બજેટમાં એવું અનુમાન છે કે દેશનો બેરોજગારીનો દર વર્ષના અંતે 12% જેટલો થઇ શકે છે. દેશના ઘણા રેસ્ટોરન્ટના માલિકોએ તેમના સ્ટાફને 2021 સુધી છુટા કરી દીધા છે.