બ્રિટેનની ભારતીય મૂળની ગૃહમંત્રી પ્રીતિ પટેલે ત્યાં ફસાયેલા ભારતીયો સહિત બધા વિદેશીઓના વીઝાનો સમય ગાળો બે મહિના વધારવાનો આદેશ જારી કર્યો છે. આ બધા લોકો કોરોના વાયરસના કારણે ભારત સહિત અલગ-અલગ દેશ તરફથી તેમને ત્યાં પ્રવાસીઓને લઇને પ્રતિબંધના કારણે બ્રિટેનમાં ફસાઇ ગયા છે.
બ્રિટેનમાં ફસાયેલા વિદેશોમાં ભારતીયોની સંખ્યા ઘણી વધારે છે, જેઓનો વીઝા સમય પુરો થઇ ગયો છે અથવા જલ્દી પુરો થવા જઇ રહ્યો છે. વીઝાને લઇને કરવામાં આવેલા સવાલો લંડન સ્થિત ભારતીય ઉચ્ચાયોગને સોશિયલ મીડિયા ચેનલ પર જોવા મળી રહ્યાં છે.
પરંતુ પ્રીતિ પટેલના હાલના આદેશ બાદ આ બધાને 31 મે સુધી રાહત મળી ગઇ છે. બ્રિટેનના વરિષ્ઠ કેબિનેટ મંત્રી પ્રીતિ પટેલે કહ્યું કે આ લોકોને આ વાતની માનસિક શાંતિ આપવા ઇચ્છે છે કે હાલમં કડક યાત્રા પ્રતિબંધના કારણે પકડાઇ જવા પર તેમના વિરુદ્ધ કોઇ કડક કાર્યવાહી કરવામાં આવશે નહીં.
પ્રીતિ પટેલે કહ્યું, વીઝાનો સમયગાળો વધારવાનો આદેશ એ બધા લોકો પર લાગુ થશે જેઓના વીઝા 24 જાન્યુઆરી બાદ પુરો થઇ રહ્યો હતો અને જે લોકો પ્રવાસને લઇને પ્રતિબંધ તેમજ એકાંતવાસને લઇને બ્રિટેન છોડી શક્યાં નહોતાં.
કોરોના વાયરસના કારણે સમય કરતાં વહેલી બંધ કરાઇ બ્રિટિશ સંસદ
બ્રિટિશ સંસદને બુધવારે કોરોના વાયરસના કારણે સમય પહેલા સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી. જેના કારણે બધા સાંસદ ઇસ્ટર અવકાશને લઇને સમયથી એક અઠવાડિયા અગાઉ પોતાના ઘર માટે રવાના થઇ શકશે. સરકારે તેના માટે નીચલાસદ હાઉસ ઓફ કોમર્સમાં 21 એપ્રિલસુધી સંસદને સ્થગિત કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો જેને મંજૂરી આપી દેવામાં આવી.