દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં કેરળનો પણ સમાવેશ થાય છે. શનિવાર સાંજ સુધી, 306 કોવિડ 19 દર્દીઓ અહીં સામે આવ્યા હતા. રાજ્યમાં આ રોગને કારણે અત્યાર સુધીમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં એવા 50 લોકો પણ છે જેમને સ્વસ્થ થયા બાદ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. કેરળમાં વિદેશી નાગરિકો પોઝિટિવ આવતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 57 વર્ષીય બ્રિટીશ નાગરિક બ્રાયન લોકવુડનો સમાવેશ થાય છે.
બ્રાયન તેની પત્ની અને 18 લોકો સાથે કેરળ પ્રવાસ પર આવ યા હતો. દુબઈની ફ્લાઇટ પકડતા પહેલા બ્રાયનને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. બ્રાયનને અઠવાડિયાની સારવાર બાદ કલામાસ્સેરી મેડિકલ કોલેજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બ્રાયને મીડિયા સાથેની વાતચીતમાં તેના સારવારના અનુભવો શેર કર્યા.
બ્રાયન કહે છે કે કોટ્ટાયમમાં તાવ હોવાને કારણે મેં થોડા દિવસો પહેલા કોવિડ 19 પરીક્ષણ કર્યુ હતું. મેં અને મારી પત્નીએ પોતાને મુન્નારની એક સેલ્ફ આઇસોલેશન હોટેલમાં રાખ્યા અને પરીક્ષણના પરિણામોની રાહ જોઈ. 14 માર્ચે, અમને કહેવામાં આવ્યું કે પરીક્ષણ નેગેટિવ આવ્યું છે. આ પછી અમારી ટૂર પાર્ટીએ બીજા દિવસે વિમાનને પકડવાનું નક્કી કર્યું. હું વિમાનમાં ચડી ન શક્યો કેમ કે મને કહેવામાં આવ્યું કે મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
ન્યુમોનિયા વધી જવાથી વેન્ટિલેટર ઉપર મુકવામાં આવ્યા
કોવિડ 19 માટે હું અને મારી પત્ની અમે અલગ અલગ થઇને પરીક્ષણ કર્યાં. અમારા એક્સ-રે થયા જેમાં મને ન્યુમોનિયા હોવાનું બતાવ્યું. ડો.ફતેહુદ્દીન અને ડો. જેકબે ટૂંક સમયમાં તેમની ટીમ સાથે સારવાર શરૂ કરી. તેઓએ મને HIV દવાઓ અથવા અન્ય એન્ટિવાયરલ વચ્ચે પસંદ કરવાનું કહ્યું. જ્યારે મારો ન્યુમોનિયા વધુ વણસી ગયો, ત્યારે તેઓએ મને વેન્ટિલેટર પર મૂક્યો. આથી મારી રિકવરીમાં ઘણી મદદ કરી.
ત્યાંનું વાતાવરણ કઠોર હતું, જો કે મને સમજાયું કે આ વાયરસના ફેલાતા અટકાવવા માટે હતું. આઇસોલેશન રૂમની નિયમિત સફાઇ કરવામાં આવતી હતી. આ એક સ્થાનિક હોસ્પિટલ હતી એટલે ભોજન પશ્ચિમી શૈલીનું ઉપલબ્ધ નહોતું. પરંતુ તબીબી ટીમ દ્વારા હંમેશાં કહેવામાં આવ્યું કે અન્ય કયા વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે છે. તબીબી ટીમ વર્લ્ડ ક્લાસ હતી. તેના સભ્યો ખરેખર પ્રોફેશનલ હતા, ખૂબ નમ્ર અને મારી સંભાળ રાખતા. હું આનાથી સારી કાળજી લેવાનું વિચારી શકું એમ નથી.
મને નથી લાગતું UKમાં આનાથી સારી ટ્રીટમેન્ટ થઇ શકી હોત
મને નથી લાગતું કે યુકેમાં મારી આનાથી સારી ટ્રીટમેન્ટ થઇ શકી હોત. બધા તબીબી નિર્ણયો યોગ્ય સમયે લેવામાં આવ્યા હતા. તબીબી ટીમ દર્દીની સારવાર માટે શ્રેષ્ઠ કરતાં વધુ પણ વધુ સારું જે થઈ શકે તે કરવા માટે સમર્પિત હતી. તેઓ મારી પત્નીને મારી પરિસ્થિતિ વિશે સતત જાણ કરતા રહ્યા. આનાથી મારી પત્નીને હળવાશ રાખવામાં પણ મદદ મળી.
હું ખૂબ નસીબદાર છું મારી પરિસ્થિતિ ખરાબ હોત, પણ મને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી. હોસ્પિટલમાં તબીબી સ્ટાફ પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (PPE) થી સજ્જ હતો. તેના શરીરના કોઈ ભાગનો ખુલ્લો ન હતો. બધી હોસ્પિટલોએ તેમના મેડિકલ કર્મચારીઓની આ રીતે સંભાળ લેવી જોઈએ.
સફળ સારવાર બાદ બ્રાયન અને તેમની પત્ની હવે કોચિની સરકારી સુવિધામાં રહે છે. 14 દિવસના સર્વેલન્સ પિરિયડ પછી, તે તેના દેશ પરત ફરી શકશે.