બ્રિટનમાં ભારતીયોની એન્ટ્રી પર રોક લગાવી દેવામાં આવી છે. આ નિર્ણય ભારતમાં સતત વધતા કોરોનાના કેસને લઈને બ્રિટન સરકારે લીધો છે.
બ્રિટને ભારતને રેડલિસ્ટમાં સામેલ કર્યુ
આગામી આદેશ સુધી ભારતીયોની એન્ટ્રી પર બ્રિટનમાં પ્રતિબંધ
યુકે અથવા આયરિશની નાગરિકતા હોય તેમને છૂટ મળશે.
ભારતમાં સતત વધતા કોરોનાના સંક્રમણને લઇને બ્રિટને ભારતને રેડલિસ્ટમાં સામેલ કર્યુ છે. આગામી આદેશ સુધી ભારતીયોની એન્ટ્રી પર બ્રિટનમાં પ્રતિબંધ લગાવી દેવાયો છે. જો કે જેમની પાસે યુકે અથવા આયરિશની નાગરિકતા હોય તેમને છૂટ મળશે.
યુકે અને આયરિશના નાગરિકોને 10 દિવસ ક્વોરોન્ટાઇન રહેવું પડશે
યુકે અને આયરિશના નાગરિકોને 10 દિવસ ક્વોરોન્ટાઇન રહેવું પડશે. સરકારે નક્કી કરેલી હોટેલમાં ક્વોરોન્ટાઇન રહેવું પડશે તેવું સરકારે જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત પહેલાં બ્રિટને પાકિસ્તાન સહિત અન્ય દેશોને રેડ લિસ્ટમાં સામેલ કર્યા છે. જે દેશોમાં કોરોનાનું સંક્રમણ કાબૂ બહાર છે તેવા દેશોને રેડલિસ્ટમાં સામેલ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, 25 એપ્રિલના રોજ બ્રિટિશ પ્રધાનમંત્રી ભારતના પ્રવાસે આવવાના હતા. બ્રિટનની વિપક્ષ લેબર પાર્ટીએ પ્રધાનમંત્રી જ્હોનસને સવાલ કર્યો હતો કે, તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વીપક્ષીય ચર્ચા ઓનલાઇન બેઠક કરીને કેમ નથી કરી શકતા?
આપને જણાવી દઇએ કે, બોરિસ જ્હોનસને સતત બીજી વખત પોતાનો ભારત પ્રવાસ રદ્દ કર્યો છે. આ પહેલા તેઓ જાન્યુઆરીમાં 26 જાન્યુઆરીની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના હતા.
દબાણમાં નિર્ણય લીધો હોવાના આક્ષેપ
સમાચારો અનુસાર બોરિસ જ્હોનસન તેમની ભારત પ્રવાસ રદ કરવા માંગતા ન હતા પરંતુ વિપક્ષના દબાણમાં તેમને આ નિર્ણય લેવો પડ્યો હતો. આ પહેલા 26 જાન્યુઆરીએ જહોનસનની સફર રદ કરવામાં આવી હતી. માનવામાં આવતું હતું કે ડિસેમ્બર 2019 માં યુકેની સામાન્ય ચૂંટણી બાદ યુરોપની બહાર બ્રિટિશ વડા પ્રધાનની આ પહેલી મોટી વિદેશ યાત્રા છે. મહેરબાની કરીને કહો કે બોરિસ જોહ્ન્સનને તેની મુસાફરી ટૂંકી કરી હતી.