દેશના અનેક રાજ્યોમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો હોવાથી લોકડાઉનના ભણકારી વાગી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં પહેલાથી જ લોકડાઉન લાગેલું છે. પરંતુ રાજસ્થાન જેવા રાજ્યોમાં હવે કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેથી હવે મધ્ય પ્રદેશ બાદ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ લોકડાઉન લાગવાના ડરથી ત્યાં મજૂરી કરનારા પ્રવાસી મજૂરો પલાયન કરવા મજબૂર છે.
હજું પણ લગભગ 70 કિમીની સફર બાકી છે
હકિકતમાં લોકડાઉનના ડરથી ઉજ્જૈનથી 630 કિમી દુર જોધપુર 22 મજૂરો ઉજ્જૈન પાસે ઝારડાના નરખેડી ગામ માટે નીકળ્યા છે. આમને ઉજ્જૈન પહોંચતા 3 દિવસનો સમય લાગી જશે. હજુ પણ લગભગ 70 કિમીની સફર બાકી છે.
ગત વર્ષની જેમ લોકડાઉનનો ડર
ઝારડાના નરખેડી ગામના રહેવાસી બદ્રીએ જણાવ્યુ કે 3 દિવસ પહેલા જોધપુરની પાસે રામદેવરાથી ચાલ્યા હતા. ત્યાં જેવી ખબર પડી કે રાજસ્થાનમાં લોકડાઉન લાગી શકે છે તો પોતાનું 2 મહિનાનું બચેલું કામ છોડીને પોતાના ગામ માટે 22 લોકો નિકળી ગયા. સાથે જણાવ્યું કે રાજસ્થાન બોર્ડર સુધી તો વાહન મળી ગયુ પરંતુ મધ્ય પ્રદેશમાં આવતા જ લોકડાઉનના કારણે પગપાળા જવુ પડી રહ્યુ છે. જોકે રસ્તામાં અનેક લોકોએ માનવતા દાખવી ભોજન ઉપરાંક ખાણી પીણીનો સામાન ઉપલબ્ધ કરાવ્યો છે.
230 કિમી પદયાત્રા, હાથમાં ભારે સામાન અને ગરમી
રાજસ્થાનથી વાહનોના સહારે મધ્યપ્રદેશની બોર્ડર સુધી પહોંચી મજૂરો ઉજ્જૈન 230 કિમી દુર નિમ્બાહેડા બાદ વાહન ન મળ્યા તો ત્યાંથી પદયાત્રા શરુ કરી. ઝારડા નિવાસી ઉપમા બાઈએ જણાવ્યુ કે મધ્ય પ્રદેશમાં લોકડાઉનના કારણે પદયાત્રી કરવી પડી રહી છે. ઉજ્જૈન આવ્યા બાદ હજું ઘણી સફર બાકી છે. જો કે ઉજ્જૈનમાં પણ લોકો આવા મજૂરોની સેવા કરતા નજરે પડ્યા અને તેમણે ગરમીની ઋતુમાં તમામ 22 મજૂરો માટે છાશ મઠ્ઠાની વ્યવસ્થા કરી હતી.