ગુજરાત માટે ગૌરવ સમાન સમાચાર આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટના જાણીતા એડવોકેટ સૂર્યપ્રકાશ રાજુની સુપ્રીમ કોર્ટમાં એક મહત્વની પોસ્ટ ઉપર વરણી કરવામાં આવી છે. વળી તુષાર મહેતાને પણ ફરીથી સોલીસિટર જનરલ તરીકેની નીમણૂંક કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટના ધારાશાસ્ત્રી સુપ્રીમમાં
એડવોકેટ સૂર્યપ્રકાશ રાજુની સુપ્રીમમાં નીમણૂંક
એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નીમણૂંક
તુષાર મહેતાની સોલીસિટર જનરલ ઓફ ઈન્ડિયા તરીકે ફરી નિમણૂક કરાઈ છે. 3 વર્ષ માટે તુષાર મહેતાની સોલીસિટર જનરલ તરીકે પસંદગી કરાઈ છે. આ ઉપરાંત 5 એડિશનલ સોલિસિટર જનરલની પણ ફરી નિમણૂક કરવાનો નિર્ણય કરાયો છે. વિક્રમજીત બેનર્જી, અમન લેખી, માધવી ગોદરિયા દિવાનની ફરી નિમણૂક કરાઈ છે. કે.એમ નટરાજ, સંજય જૈનની ફરી એડી.સોલિસિટર જનરલ તરીકે નિમાયા છે.
સૂર્યપ્રકાશ રાજૂ સહિત 6 વકીલનો SCમાં એડી.સોલિસીટર જનરલ બનાવાયા છે. SC માં એડિ.સોલિસિટર જનરલ તરીકે સૂર્યપ્રકાશ રાજુની પસંદગી કરાઈ છે. સૂર્યપ્રકાશ રાજુ ગુજરાત હાઇકોર્ટના સિનિયર વકીલ છે. સુપ્રીમ કોર્ટમાં એડી.સોલિસીટર જનરલ તરીકે ચોથા ગુજરાતીને સ્થાન મળ્યું છે. અગાઉ કિરીટ રાવલ, હરીન રાવલ, તુષાર મહેતાની પસંદગી થઈ હતી
અગાઉ આ એડવોકેટોએ પણ આ પોસ્ટ પર સ્થાન મેળવ્યું હતુ.
કિરીટ રાવલ
હરીન રાવલ
તુષાર મહેતા
નિમણૂંક સમિતિએ સુપ્રીમ કોર્ટ માટે ત્રણ વર્ષના ગાળા માટે નવા એએસજીની નિમણૂક કરી છે. જેમાં ગુજરાતના ખ્યાતનામ ધારાશાસ્ત્રી