ચીનમાં મુસ્લિમો ખાસ કરીને ઉઈગર સમુદાયની વિરુદ્ધ ચાલી રહેલા માનવાધિકાર ઉલ્લંઘન અને શોષણનો મામલો હવે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં પહોંચ્યો છે. પૂર્વ ઉઈગર સમૂદાય સાથે જોડાયેલી સંસ્થા ઈસ્ટ ટર્કિશ સરકાર અને પૂર્વ તુર્કીસ્તાન રાષ્ટ્રીય નેશનલ અવેકનિંગ મૂવમેન્ટે ચાઇના વિરુદ્ધ કોર્ટમાં ઉઈગર સમૂદાયના નરસંહાર, માનવાધિકારના ઉલ્લંઘન અને શોષણ માટે કેસ કર્યો છે.
બેજિંગના ઉઈગર નરસંહાર અને ક્રાઈમ અગેંસ્ટ હ્યૂમેનિટીની વિરુદ્ધ સવાલ કરવા કોર્ટમાં અપીલ
ચીન છટકી શકે તેવી શંકા છે પણ ...
ઉઈગર સમુદાયના દેશનિકાલ કોર્ટને કહ્યું કે તે બેજિંગના ઉઈગર નરસંહાર અને ક્રાઈમ અગેંસ્ટ હ્યૂમેનિટીની વિરુદ્ધ સવાલ કરે. આ પહેલીવાર છે જ્યારે ઉઇગર સમુદાય પર ચાલી રહેલા અત્યાચાર સંબંધિત આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ચીન પર પુછપરછ કરવામાં આવી શકે છે. લંડનના વકીલોના એક જૂથે ચાઇનામાં ઉઇગર સમુદાય પર ચાલી રહેલા અત્યાચાર અને કાયદા દ્વારા ઉલ્લંઘન કરવામાં આવતા હજારો ઉઈગારો અને કંબોડિયા અને તજિકિસ્તાનમાં દેશનિકાલ કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે. આંતરરાષ્ટ્રીય ક્રમિનલ કોર્ટે પણ આ કેસમાં રસ દાખવ્યો છે અને ચીન પહેલીવાર તપાસ હેઠળ આવી શકે છે. આ કિસ્સામાં જિનપિંગ સહિત સામ્યવાદી પાર્ટીની સરકાર સાથે સંકળાયેલા 80 લોકો પર ઉઈગર સમુદાયના નરસંહારનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ચીન જવાબ નહીં આપે
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં નરસંહાર, યુદ્ધના ગુનાઓ અને અન્ય માનવાધિકાર ભંગમાં આંતરરાષ્ટ્રીય કેસોની સુનાવણી થાય છે. જોકે આ વાત પર સંપૂર્ણ શંકા છે કે ચીન આ કોર્ટના અધિકારક્ષેત્ર પર વિચાર કરશે અને તપાસ માટે તૈયાર રહેશે. અપીલ દાખલ કરનાર વકીલોમાંના એક રોનડી ડિક્સને કહ્યું હતું કે નરસંહારના કેસોમાં ચીન પણ કોર્ટના અધિકારક્ષેત્રમાં આવે છે. ચીન અને કંબોડિયા બંને કોર્ટના સભ્યો છે અને આ દ્રષ્ટિકોણથી તે કોઈ ખાનગી નહીં પણ આંતરરાષ્ટ્રીય બાબત છે. તેમણે કહ્યું કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કેસ સાબિત થઈ શકે છે કારણ કે ચીને હજી સુધી માનવાધિકારના ભંગ અને ઉઈગર હત્યાકાંડ માટે કોઈ જવાબદારીનો સામનો નથી કરવો પડ્યો.