આધાર-આધારિત ચૂકવણી એક પ્રકારનું ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે, જે પૈસા કાઢવા માટે આધાર બાયોટ્રિક વેરિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે, વાંચો કઇ રીતે લઇ શકશો લાભ
બાયોમેટ્રિક ડિવાઇસમાં ફિંગર પ્રિન્ટ સ્કેન કરવા ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવે છે
પૈસા કાઢવા માટે આધાર બાયોટ્રિક વેરિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે
એઇપીએસ સેવાનો ઉપયોગ તે લોકો કરી શકે છે જે આધાર સંખ્યા બેંક ખાતા સાથે જોડાયેલ છે
જો તમે આધાર દ્વારા પોતાના ખાતામાંથી પૈસા કાઢવા ઇચ્છો છો તો સરળતાથી એક અંગૂઠાના માધ્યમથી સરળતાથી પૈસા કાઢી શકો છો. UIDAI આધાર દ્વારા ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની સુવિધા આપી રહી છે. આધાર-આધારિત ચૂકવણી એક પ્રકારનું ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે, જે પૈસા કાઢવા માટે આધાર બાયોટ્રિક વેરિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે. એટલે કે બાયોમેટ્રિક ડિવાઇસમાં ફિંગર પ્રિન્ટ સ્કેન કરવા ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવે છે. તેથી તમારે બેંક જવાની જરુર નહીં પડે.
આધાર UIDAI દ્વારા જાહેર 12 આંકડાની વિશિષ્ટ ઓળખ સંખ્યા છે. AePS સિસ્ટમ લેણદેણની સુવિધા માટે આધાર સર્ટિફિકેશનનો ઉપયોગ કરે છે. આ યૂનિફાઇડ પેમેન્ટ (UPI) પ્લેટફોર્મ પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે, AePS બેંકની લીડરશિપવાળા અને NPCI દ્વારા વિકસિત એક મોર્ડલ છે. આ આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરીને કોઇપણ બેંકના અધિકૃત વ્યવસાય પ્રતિનિધિના માધ્યમ દ્વારા માઇક્રો એટીએમ /કિયોસ્ક/મોબાઇલ ડિવાઇસ પર ઓનલાઇન લેણદેણની અનુમતિ આપે છે.
આધાર-આધારિત પેમેન્ટ સિસ્ટમ (AePS)ના આ છે લાભ
એનપીસીઆઇના આધારથી જોડાયેલ દરેક ખાતાધારકો માટે એક પ્રમાણીકરણ ગેટવેની પરમિશન આપી આધાર દ્વારા પેમેન્ટ કરવાની પદ્ધતિને ડિઝાઇન કરી છે.
એઇપીએસ સેવાનો ઉપયોગ તે લોકો કરી શકે છે જે આધાર સંખ્યા બેંક ખાતા સાથે જોડાયેલ છે.
અધિકૃત બેંક સાથે AEBA સેટ કરવા અને AePS સેવાનો આનંદ માણવા માટે ગ્રાહકો પાસે માન્ય આધાર નંબર હોવો જરુરી છે.
બેંકિંગ લેણદેણ જેવુ બેલેન્સ પુછપરછ, રોકડ ઉપાડની માહિતી એઇપીએસના માધ્યમથી લઇ શકાય છે.
AePS હેઠળ ઉપલબ્ધ છે આ સેવાઓ
બેલેન્સની પૂછપરછ
રોકડ ઉપાડ
રોકડ જમા
આધાર થી આધાર ફંડ ટ્રાન્સફર
ચુકવણી લેણદેણ (C2B, C2G લેણદેણ)
AEPS લેણદેણ માટે જરૂરી દસ્તાવેજો
આધાર નંબર
બેંકનું નામ
તેમની નોંધણી દરમિયાન બાયોમેટ્રિક કેપ્ચર
લેણદેણનો પ્રકાર (જો જરૂરી હોય તો)
ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમનો લાભ
ગ્રાહકો કોઈ પણ બેંક શાખાની મુલાકાત લીધા વિના, કાર્ડ સાથે કે પિન/પાસવર્ડ યાદ રાખ્યા વિના તેમના ઘરે બેઠા બેઠા બેંકિંગ વ્યવહારોનો લાભ લઈ શકે છે અને બેંકિંગ લેવડદેવળ કરી શકે છે.
તે વેપારીને વસ્તુઓ અને સેવાઓની ખરીદી માટે ગ્રાહકના આધાર નંબર/વર્ચ્યુઅલ ID અને બાયોમેટ્રિક્સ મેળવવાની મંજૂરી આપીને વેપારી વ્યવહારોને પણ સક્ષમ બનાવે છે.
આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત નથી, પરંતુ ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે તમારો આધાર નંબર તમારા બેંક ખાતા સાથે લિંક કરવો ખૂબ જ જરુરી છે.
ગ્રાહક જે બેંકમાં પોતાનું ખાતું રાખે છે તેની સાથે વિવાદ/ફરિયાદ કરી શકે છે. તે NPCI ની વિવાદ વ્યવસ્થાપન પ્રણાલી દ્વારા તેને સંબંધિત બેંકને ફોરવર્ડ કરશે.