યુનિવર્સિટી ગ્રાંટ કમિશને એક મોટો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ભણાવવા માટે હવે પીએચડી કરવું જરૂર નહીં હોય.
UGCનો મોટો નિર્ણય
પ્રોસેફર બનવા માટે પીએચડીની જરૂર નહીં રહે
પીએચડીની ડિગ્રી વગર પણ આ કામ કરી શકશો
યુનિવર્સિટી ગ્રાંટ કમિશને એક મોટો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ભણાવવા માટે હવે પીએચડી કરવું જરૂર નહીં હોય. તેની પાછળનું મુખ્ય કારણ ઉદ્યોગ જગતના વિશેષજ્ઞ અને નિષ્ણાંતોને કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ભણાવવાનો મોકો આપવાનો છે. જેમાંથી મોટા ભાગના પોતાના ક્ષેત્રમાં જ્ઞાનથી ભૂરપૂર હોય છે, પણ પીએચડીની ડિગ્રીના કારણે તે નથી કરી શકતા. તેના માટે યુજીસી તરફથી પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ અને એસોસિએટ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ જેવા વિશેષ પદ ઉભા કરવામાં આવશે. એક ડિપ્લોમેટનું કહેવું છે કે, યુજીસીના આ નિર્ણય બાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં આંતરરાષ્ટ્રીય સંબંધ ભણાવવાનો મોકો મળી શકશે.
UGC ચેરપર્સને પીએચડીની અનિવાયર્તા ખતમ કરતા શું કહ્યું
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ એમ જગદેશ કુમારે કહ્યું કે, કેટલાય નિષ્ણાંતો છે, જે ભણાવા માગે છે, કોઈ એવું પણ હોઈ શકે જે મોટા પ્રોજેક્ટ લાગૂ કર્યા હોય, જેમની પાસે જમીની સ્તર પર મોટો અનુભવ હોય, અથવા કોઈ મહાન નર્તક હોય અથવા તો સંગીતકાર હોઈ શકે છે. પણ અમે તેને હાલના નિયમ અનુસાર કેન્દ્રીય યુનિવર્સિટીમાં ભણાવા માટે નિયુક્ત કરી શકતા નથી.
Manash Pratim Gohain of Times of India writes: In a major move to rope in industry experts and professionals, UGC is doing away with the mandatory PhD requirement to teach in Central Universities.https://t.co/cN4g7z3Uy7pic.twitter.com/ECVGjVHmr7
તેમણે આગળ કહ્યું કે, એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, વિશેષ પદ બનાવામાં આવશે. પીએચડીની કોઈ જરૂર નહીં રહે. નિષ્ણાંતોએ કોઈ આપેલા ડોમેનમાં પોતાના અનુભવનું પ્રદર્શન કરવુ પડશે. નિષ્ણાંતો અને સંસ્થાઓની જરૂરિયાતના આધાર પર આ પદ સ્થાયી અથવા અસ્થાયી હોઈ શકે છે. 60 વર્ષની ઉંમરમાં સેવાનિવૃત થનારા નિષ્ણાંતો પણ પૂર્ણ અથવા અંશકાલિન ફેકલ્ટી તરીકે શામેલ અને 65 વર્ષ સુધી ભણાવી શકે છે.
સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે યુજીસી ચેરપર્સન એમ જગદેશ કુમાર સાથે ગત ગુરૂવારે બેઠક થઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં શિક્ષકોની નિમણૂંક માટે નિયમમાં સંશોધન પર કામ કરવા માટે એક સમિતિ બનાવામાં આવી હતી. બેઠક અન્ય વાતો ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું સંચાલન અને પ્રગતિ પર ચર્ચા કરવા માટે બોલાવામાં આવી હતી. યુજીસી કોઈ પણ પ્રકારનું મોડુ કર્યા વગર શિક્ષકોની નિમણૂંકને સુવ્યવસ્થિત કરવા અને સુનિશ્ચિત કરવા માટે એક કેન્દ્રીયકૃત પોર્ટલ પણ બનાવાની યોજના બનાવી રહ્યું છે. શિક્ષણમંત્રાલય અનુસાર ડિસેમ્બર 2021 સુધી કેન્દ્ર દ્વારા ગ્રાંટ મેળવતી સંસ્થામાં 10,000થી વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે.