UGCએ નેશનલ હાયર એજ્યુકેશન ક્વાલિફિકેશન ફ્રેમવર્કમાં ફેરફાર કર્યો છે. પાંચથી 10 વર્ષ લેવલને ઓછી કરીને 4.5થી આઠ વર્ષ લેવલમાં પરિવર્તિત કર્યું છે.
UGCનો મોટો નિર્ણય
એજ્યુકેશન ફ્રેમવર્કમાં કર્યો મોટો ફેરફાર
આવતા વર્ષથી લાગૂ પડશે આ નિયમ
UGCએ નેશનલ હાયર એજ્યુકેશન ક્વાલિફિકેશન ફ્રેમવર્કમાં ફેરફાર કર્યો છે. પાંચથી 10 વર્ષ લેવલને ઓછી કરીને 4.5થી આઠ વર્ષ લેવલમાં પરિવર્તિત કર્યું છે. આ ગ્રેજ્યુએશનથી લઈને પીએચડી સુધી લાગૂ પડશે. આ ફેરફાર પર 25 મેના રોજ દેશભરમાં યુનિવર્સિટીના કુલપતિઓ અને કોલેજોના આચાર્યો સાથે વર્ચુઅલ બેઠક થશે. આવી ચાર બેઠકો થશે. જેથી તેને લાગૂ કરવામાં કોઈ મુશ્કેલી ન આવે. યુજીસીના ચેરમેન પ્રો. એમ. જગદીશ કુમારે એક ઈન્ટરન્યૂમાં જણાવ્યું હતું કે, દેશભરની ઉચ્ચ શિક્ષણમાં હવે લોગિન આઉટકમ પર આધારિત એક ક્વાલિફિકેશન ફ્રેમવ્રક હશે.
તેનાથી સ્ટૂડંટ્સને સોથી વધારે લાભ મળશે. આવી સંસ્થાઓને લઈને કોઈ પણ પ્રોગ્રામમાં આવી જઈ શકશે. સ્કૂલોની માફક ઉચ્ચ શિક્ષણમાં પણ વિદ્યાર્થી દર વર્ષે લોગિન આઉટકમના આધારે મૂલ્યાંકન થશે .તેમાં કૌશલ, નોલેજ પરીક્ષામાંથી મૂલ્યાંકન થશે. ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની ડિગ્રી પ્રોગ્રામ કોર્સના આધાર પર મૂલ્યાંકન કરવાનું રહેશે, તેમાં શિખવાની ક્ષમતા કેટલી છે. તેમાં રોજગારના અવસરો પણ મળશે.
વિદેશ જઈને ભણવામાં મુશ્કેલી નહીં આવે
પ્રો. જગદીશે કહ્યું કે, આ પોલિશી બાદ યુનિવર્સિટીઓના ડૂઅલ ડિગ્રી અને જોઈન્ટ ડિગ્રી પ્રોગ્રામ કરવામાં વાંધો નહીં આવે. તેમાંથી ઉચ્ચ શિક્ષણમાં પણ ક્વાલિફિકેશન ફ્રેમ વર્ક સરખું રહેશે. સ્ટૂડંટ્સ અભ્યાસની વચ્ચે પણ કોઈ પણ એરિયા અને કોર્સનો વિકલ્પ પસંદ કરી શકશે, તો વાંધો શું હોય. શૈક્ષણિક સત્ર 2022-23થી ઉચ્ચ શિક્ષણમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. ચાર વર્ષિય પ્રોગ્રામમાં રિસર્ચથી લઈને ડોક્ટરેટ પ્રોગ્રામમાં એન્ટ્રી-એક્ઝામની સુવિધા હશે. વચ્ચે અભ્યાસ છોડીને વિવિ સુધી ઈચ્છાના હિસાબે કોર્સ તથા અભ્યાસ બદલી શકાશે. સ્ટૂડંટ્સ જ્યા અભ્યાસ છોડશે, ત્યાંથી સાત વર્ષની અંદર ચાલુ કરવાનું ઓપ્શન મળશે.