યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને સોમવારે ઘોષણા કરી હતી કે, જેઆરએફનો સમયગાળો એક વર્ષથી વધારે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
UGCની મોટી જાહેરાત
જેઆરએફના સમયગાળમાં વધારો કર્યો
વર્ષમાં બે વાર એન્ટ્રેસ એક્ઝામ યોજવાની તૈયારીઓ
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને સોમવારે ઘોષણા કરી હતી કે, જેઆરએફનો સમયગાળો એક વર્ષથી વધારે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે, ત્રણ વર્ષના સમયગાલાને એક એક વર્ષ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફક્ત એ તમામ યુજીસી નેટ યોગ્ય ઉમેદવાર પર લાગૂ થાય છે, જેમની પ્રવેશ પ્રક્રિયા કોવિડ 19 મહામારીના કારણે સ્થિતિથી પ્રભાવિત થઈ હતી.
CUET વર્ષમાં બે વાર કરવાની તૈયારી
તેની સાથે જ યુજીસીના અધ્યક્ષ પ્રોફેસર એમ જગદીશ કુમારે કહ્યું કે, યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે સીયુઈટીને બે વર્ષમાં બે વાર કરવાની તૈયારી થઈ રહી છે. તેના માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી સાથે વાતચીત થઈ ચુકી છે. તેમણે કહ્યું કે, આગામી સત્ર એટલે કે, આગામી વર્ષથી સીયુઈટી એટલે કે કોમન યુનિવર્સિટી એન્ટ્રેંસ એક્ઝામને વર્ષમાં બે વાર આયોજીત કરવામાં આવશે.
UGC NET JRF: જાણો શું છે યુજીસી નેટ જેઆરએફ
રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા આયોજીત થની યુનિવર્સિટી ગ્રાન્ટ આયોગ રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા વર્ષમાં બે વાર થાય છે. આ એક રાષ્ટ્રીય સ્તરની પાત્રતા પરીક્ષા છે. તેનું આયોજન ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સહાયક પ્રોફેસર તથા જૂનિયર રિસર્ચ ફેલોશિપ અને સહાયક પ્રોફેસરના પદ માટે ઉમેદવારોની પાત્રતા નિર્ધારિત કરવા માટે પરીક્ષા આયોજીત કરવામાં આવે છે.
UGC NET JRF: નવેમ્બર 2021--જાન્યુઆરી 2022માં આયોજીત થઈ હતી પરીક્ષા
આપને જણાવી દઈએ કે, યુજીસી નેટ જેઆરએફ 2021 પરીક્ષા 20 નવેમ્બર, 2021થી 05 જાન્યુઆરી, 2022 સુધી આયોજીત કરવામાં આવી હતી. પરીક્ષાની તારીખોની જાહેરાત રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા 22 ઓક્ટોબર, 2021ના યુજીસી નેટની સત્તાવાર વેબસાઈટ પર જાહેર એક નોટિફિકેશનના માધ્યમથી કરવામાં આવી હતી. જે ઉમેદવારોને યુજીસી નેટ ડિસેમ્બર 2020 માટે રજીસ્ટર્ડ કરવામાં આવ્યા હતા, પણ અરજી પ્રક્રિયામાં પુરી કરવામાં અસમર્થ હતા, તે વિદ્યાર્થીઓ માટે સમયગાળો લાગૂ થશે.
UGC CUET : સીયુઈટી વર્ષમાં બે વાર કરાવાની તૈયારી
પ્રોફેસર જગદીશ કુમારે જણાવ્યું હતું કે, સીયૂઈટીના કારણે બોર્ડ પરીક્ષાઓની મહત્વ ઓછુ નહીં થાય. ન તો તેના કારણે કોચિંગ પ્રથાને પ્રોત્સાહન મળશે. રાજ્ય બોર્ડના વિદ્યાર્થઈઓને પણ તેનાથી નુકસાન નહીં થાય. તો વળી તેમણે જણાવ્યું છે કે, આગામી સત્રથી સીયુઈટીને વર્ષમાં બે વાર આયોજીત કરવા પર વિચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, સીયુઈટી ફક્ત કેન્દ્રીય યુનિવર્સિટીઓ સુધી સીમિત નહીં રહે. કેટલીય પ્રાઈવેટ યુનિવર્સિટીઓએ તેની સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
UGC CUET : ધોરણ 12ના સિલેબસ પર આધારિત હશે સીયુઈટી પરીક્ષા
આ સવાલ પર સીયૂઈટી કોચિંગની પ્રથાને પ્રોત્સાહન મળશે ? તેના પર પ્રોફેસર કુમારે કહ્યું કે, કોચિંગ પ્રથાને પ્રોત્સાહન આપવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. પરીક્ષા સમગ્રપણે 12ના સિલેબસ પર આધારિત હશે. કોઈ વિદ્યાર્થીને આશંકા છે કે, શું પરીક્ષામાં ધોરણ 11માંથી પણ પ્રશ્નો પૂછવામાં આવશે, તો તેનો જવાબ છે નહીં.