યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશને પોતાના ઓપન અને ડિસ્ટેંસ લર્નિંગ ગાઈડલાઈન્સમાં ફેરફાર કર્યો છે.
UGC એડમિશનના નિયમોમાં ફેરફાર કર્યા
વિદેશથી ભારતમાં ભણવા આવતા વિદ્યાર્થીઓને મોટી રાહત
જોઈ લો શું કર્યા છે નવા સંશોધન
યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશને પોતાના ઓપન અને ડિસ્ટેંસ લર્નિંગ ગાઈડલાઈન્સમાં ફેરફાર કર્યો છે. તેનો ઉદ્દેશ્ય વિદેશ મંત્રાલય દ્વારા સંચાલિત પ્રોજેક્ટ દ્વારા UGC દ્વારા માન્યતા પ્રાપ્ત ઓનલાઈન પ્રોગ્રામ્સમાં વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. UGC સેકેન્ડ અમેંડમેંટ રેગ્યુલેશન, 2022ને 18 જૂલાઈએ ગજેટમાં નોટિફાઈ કર્યું છે. તેના દ્વારા હવે વિદેશી વિદ્યાર્થીઓને મોટી રાહત મળવાની છે.
UGC એ નિયમોમાં ફેરફાર કર્યા
UGC ચેરપર્સન એમ જગદેશ કુમારે કહ્યું કે, 2020ના રેગ્યુલેશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય સ્ટૂડેંટ્સની ઓળખાણ કરવા માટે એકમાત્ર માધ્યમ પાસપોર્ટ હોય છે. તેમણે કહ્યું કે, વિદેશ મંત્રાલયે જાણ્યું છે કે, કેટલીય એપ્લીકેશન અથવા એક્સપાયર થઈ ચુકેલા પાસપોર્ટ જમા કરવા અથવા પાસપોર્ટ જમા નહીં કરવાના કારણે રિજેક્ટ થઈ જાય છે. કુમારે કહ્યું કે, બાદમાં વિદેશ મંત્રાલયે ફોટોવાળા કોઈ પણ રાષ્ટ્રીય ઓળખાણ પર વિચાર કરવાનો અનુરોધ કર્યો અને ઈ વિદ્યાભારતી પ્રોજેક્ટ અંતર્ગત ભારતીય યુનિવર્સિટીઝમાં એડમિશન માટે પાસપોર્ટની અનિવાર્યતા અનાવશ્યકથી છૂટ આપવામા આવી.
15 હજાર સ્કોલરશિપ આપવાનો પ્લાન
સંશોધિત નિયમોથી વિદેશ વિદ્યાર્થીઓને મોટ ફાયદો થવાનો છે. વિદેશ મંત્રાલય દ્વારા એડમિશન લેનારા વિદ્યાર્થીઓને પ્રમાણીકરણ કરવા માટે પોતાના નિવાસના દેશની તસ્વીર સાથે કોઈ પણ નેશનલ આઈડેંટિટીને જમા કરાવાનું ઓપ્શન હશે. વિદેશ મંત્રાલયે કેન્દ્રની ઈ વિદ્યાભારતી પ્રોજેક્ટ અંતર્ગત આફ્રિકી સ્ટૂડેંટ્સને સ્કોલરશિપ આપે છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય 5 વર્ષમાં આફ્રિકી સ્ટૂડેંટ્સને લગભગ 15 હજાર સ્કોલરશિપ આપવાનો ટાર્ગેટ રાખ્યો છે.