સિંગિગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાં આદિત્ય નારાયણ અને નેહા કક્કડના રિલેશનશિપને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ બંને વેલેન્ટાઈન ડે પર લગ્ન કરવાના છે એવું શોમાં કહ્યું હતું. પણ હવે આદિત્યના પિતા ઉદિત નારાયણે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
વેલેન્ટાઈન્સ ડે પર આ નેહા-આદિત્ય કરશે લગ્ન
ઉદિત નારાયણે કહી આવી વાત
ઇન્ડિયન આઈડલમાં જોવા મળે છે આદિત્ય-નેહાની કેમેસ્ટ્રી
ટીઆરપી વધારવા શોમાં આ બધું થઈ રહ્યું છે એવા આરોપ લાગ્યા હતા. જોકે, હવે એવું જ દેખાઈ પણ રહ્યું, કારણ કે આદિત્યના પિતા ઉદિત નારાયણે હાલ આ નિર્ણયને થોડાં સમય માટે સ્થગિત રાખવાનું કહ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન ઉદિત નારાયણે કહ્યું, આદિત્ય અમારો એકનો એક દિકરો છે. અમે તેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. જો લગ્નની અફવાઓ સાચી પડે છે તો અમે દુનિયાના સૌથી નસીબદાર માતા-પિતા હોઈશું, પરંતુ આદિત્યએ આ અંગે હાલ કંઈ જણાવ્યું નથી.
ઉદિતે વધુમાં કહ્યું, મને એવું લાગે છે કે આદિત્ય અને નેહાના લગ્નની અફવા ટીઆરપી માટે ઉડાવામાં આવી છે. આ શોમાં નેહા એક જજ છે અને મારો દિકરો એન્કર છે. નેહાએ લગ્ન માટે ચેનલ પર તો હા પાડી હતી અને આદિત્યએ કહ્યું હતું કે તે 14 ફેબ્રુઆરીએ નેહા સાથે લગ્ન કરશે. ચેનલે બંનેના લગ્નનું કાર્ડ પણ છપાવ્યું હતું.
શોમાં આદિત્ય ઘણીવાર નેહા સાથે ફ્લર્ડ કરતા જોવા મળે છે. આ બંનેના લગ્નની અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે આદિત્યના પિતા ઉદિત નારાયણ શોમાં પહોંચ્યા હતા અને નેહાની ખૂબ પ્રશંસા કરી હતી અને તેને ઘરની વહુ બનાવવાની ઈચ્છા જાહેર કરી હતી.
A post shared by UDIT NARAYAN (@uditnarayan_official) on
રિપોર્ટ્સમાં એવું પણ જાણવા મળ્યું હતું કે આ બંને બેચલર પાર્ટી પણ કરી શકે છે. આ પાર્ટી ઈન્ડિયન આઈડલ 11ના સેટ પર થશે અને આવનારા વીકેન્ડના એપિસોડમાં ટેલિકાસ્ટ થશે. આ બંનેની બેચલર પાર્ટીનું શૂટ થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, નેહા અને આદિત્યના અફેર અને લગ્નની અફવાઓએ ઘણાં દિવસોથી જોર પકડ્યું છે.