મુંબઇઃ મુંબઇના શિવાજી પાર્કમાં શિવસેનાની દશેરા રેલીમાં પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રામ મંદિર મુદ્દે તેમણે કહ્યું કે રાવણ દર વર્ષે આવે છે પરંતુ રામ મંદિર નથી આવતું.
ભાગવતનું સ્વાગત મોદી પર કટાક્ષ
રામ મંદિર મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાવણ દર વર્ષે આવે છે પરંતુ રામ મંદિર નથી આવતું. પીએમ મોદીના નામ લીધા વગર ઠાકરેએ કહ્યું કે ધનુષ અને બાણ ઉપાડવા માટે કેટલાક ઇંચની છાતી નહીં હિમ્મત જોઇએ. તેમણે કહ્યું કે તે રામ મંદિર પર મોહન ભાગવતના નિવેદન માટે શુભેચ્છા આપીએ છીએ. તેમણે જે કહ્યું તે અમે કેટલાય વર્ષોથી કહેતા આવીએ રહ્યા છીએ.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ 25 નવેમ્બરે અયોધ્યા જઇશું. જે સવાલ આજે હું કરી રહ્યો છું ત્યાં હું અયોધ્યામાં પીએમ મોદીને પુછીશું. પ્રજાની ભાવનાઓ સાથે રમત નક રો. જો તેમણે આશાઓ ખોઇ નાખી છે તો સિંહાસન ધૂળમાં મળી જશે. પીએમ કેટલાય દેશોમાં જાય છે પરંતુ અયોધ્યા એક વાર પણ નથી ગયા.