ચીનની સાથે સીમા વિવાદ મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે સર્વદળીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સામેલ ટીએમસી, બીજેડી, શિવસેના, ટીઆરએસ સહિત દેશની વિવિધ રાજકીય પાર્ટીઓએ એક સૂર સાથે કેન્દ્ર સરકારને સમર્થન કર્યું હતું.
સરહદ પર વિવાદ મુદ્દે મોદી સરકારને વિપક્ષનું સમર્થન
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું અમારી સરકાર આંખો કાઢીને હાથમાં આપવાની ક્ષમતા ધરાવે છે
આ સાથે જ વધુમાં કહ્યું કે, અમે સરકાર અને દેશના જવાનોની સાથે ઉભા છીએ. આ બેઠકમાં ભાજપથી અલગ થઇને મહારાષ્ટ્રમાં સરકાર બનાવનાર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકાર પર વિશ્વાસ મુકતા જણાવ્યું હતું કે, અમારી સરકાર આંખો કાઢીને હાથમાં આપવાની ક્ષમતા ધરાવે છે.
ભારત મજબૂત છે મજબૂર નથી
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આપણે બધા એક છીએ. આપણે બધા પ્રધાનમંત્રી મોદીની સાથે દૃઢપણે ઉભા છીએ. આપણે આપણા દેશના સૈન્ય અને તેમના પરિવાર સાથે ઉભા છીએ. ભારત શાંતિ ઇચ્છે છે, તેનો અર્થ એ નથી કે આપણે નબળા છીએ. તેમણે કહ્યું, 'ચીન હંમેશાં એક છેતરપિંડી રહ્યું છે. ભારત મજબુત છે, મજબૂર નથી. અમારી સરકાર આઁખો નીકળીને હાથમાં આપવાની ક્ષમતા ધરાવે છે.
શરદ પવારે રાહુલ ગાંધીને અરીસો બતાવ્યો
આ તરફ મહારાષ્ટ્ર સરકારમાં શિવસેનાના સહયોગી દળ એનસીપીએ પણ પ્રધાનમંત્રી મોદીને પોતાનું સમર્થન આપ્યું હતું. આ સાથે જ એનસીપી પ્રમુખ શરદ પવારે ચીન સામે સૈનિકોને હથિયાર વગર મોકલવા મુદ્દે રાહુલના સવાલ પર અરીસો બતાવ્યો હતો. દેશના સંરક્ષણ મંત્રી રહી ચૂકેલા શરદ પવારે જણાવ્યું હતું કે, સૈનિક ક્યારે-ક્યાં હથિયાર લઇને સાથે જઇ શકે તે આંતરરાષ્ટ્રીય સમજૂતિ પર નિર્ભર હોય છે.