સુપ્રીમના ફ્લોર ટેસ્ટના આદેશ બાદ તરત ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદેથી રાજીનામાની જાહેરાત કરીને ફેસબુક પર લાંબુ ભાવુક ભાષણ આપ્યું.
સુપ્રીમના ફ્લોર ટેસ્ટના ઓર્ડર બાદ ઉદ્ધવ ઠાકરેએ આપ્યું રાજીનામું
ફેસબુક પર લાંબુ ભાવુક ભાષણ આપ્યું
પરંતુ રાજીનામાની જાહેરાત ફક્ત એક લાઈનમાં કરી
કહ્યું- મારા પોતાનાએ દગો કર્યો
મારા પાપોની સજા ભોગવી રહ્યો છું
વિધાનપરીષદનુ સભ્યપદ છોડવાની પણ વાત કરી
મહારાષ્ટ્રમાં આવતીકાલના ફ્લોર ટેસ્ટ પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે ફેસબુક પર લાઈવ આવીને સીએમ પદેથી અને વિધાનપરીષદના સભ્યપદેથી રાજીનામું આપવાનું જાહેર કર્યું હતું.
I had come (to power) in an unexpected manner and I am going out in a similar fashion. I am not going away forever, I will be here, and I will once again sit in Shiv Sena Bhawan. I will gather all my people. I am resigning as the CM & as an MLC: Shiv Sena leader Uddhav Thackeray pic.twitter.com/dkMOtManv3
ફેસબુક પર લાંબુ ઈમોશનલ ભાષણ આપ્યું
પોતાના ફેસબુક સંબોધનમાં ઠાકરેએ કહ્યું કે સારા કાર્યો જોવામાં ઝડપથી લાગે છે. ઉદ્ધવ ઠાકરેએ સોનિયા ગાંધી અને શરદ પવારનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, જેમને તેમણે ઘણું આપ્યું છે તેઓ ગુસ્સે છે અને જેમણે કંઇ આપ્યું નથી તેઓ હજી પણ તેમની સાથે છે. મને આ લોકોથી છેતરપિંડીનો ડર નહોતો.
I want to express my gratitude to the people of NCP and Congress that they supported me. From Shiv Sena, Anil Parab, Subhash Desai and Aaditya Thackeray, these people were only present when the proposal was passed while NCP & Cong people also supported the proposal: CM Thackeray pic.twitter.com/P02GV0i7f8
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો તમે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હોત તો હું ચોક્કસ વાત કરત. હું આજે પણ વાત કરવા તૈયાર છું. મેં તને મારી જ માની. મને અપેક્ષા નહોતી કે તમે દગો કરશો. મને ખબર પડી છે કે મુંબઈમાં કેન્દ્ર સરકારે સુરક્ષા માટે અલગથી ફોર્સ મોકલી છે. જ્યારે તમે લોકો આવશો ત્યારે સીઆરપીએફ અહીં પ્રવેશવાની છે. મને શરમ આવે છે. શું તમે શિવસૈનિકોના લોહીથી મુંબઇનો રસ્તો લાલ કરવા જઇ રહ્યા છો?
Uddhav Thackeray says he fulfilled his father late Bal Thackeray's dream of renaming Aurangabad city as Sambhajinagar
ભોગવી રહ્યો છું પાપોની સજા
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કોંગ્રેસ પણ મંત્રીમંડળમાંથી બહાર નીકળવાની વાત કરી હતી. આજે શિવસૈનિકોને નોટીસ આપવામાં આવી રહી છે. તેમને ઘર બહાર જતા અટકાવાઈ રહ્યાં છે. કાલના ફ્લોર ટેસ્ટ સાથે મારે મતલબ નથી. તમારી પાસે કેટલી સંખ્યા છે તેની સાથે મારે કંઈ લેવાદેવા નથી. કાલે કદાચ તમે વિરોધીઓની બહુમતી સાબિત કરી દેશો, જેમને શિવસૈનિકોને જ મોટા કર્યાં છે. તમને મોટા કર્યાં તે પાપોની સજા હું ભોગવી રહ્યો છું.
I am quitting as Maharashtra Chief Minister: Uddhav Thackeray says in live broadcast
અત્યારે એમની ઉજવણી કરી લેવા દો, આ દિવસ બહુ નહીં ચાલે
શિવસેનાના બાગી ધારાસભ્યો પર આડકતરો પ્રહાર કરતા ઉદ્ધવે કહ્યું કે અત્યાર તેમના દિવસો છે તેથી તેમને ઉજવણી કરી લેવા દો, પરંતુ આ દિવસ બહુ નહીં ચાલે તે નક્કી છે. અમારો પણ એક દિવસ આવશે.