મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે પ્રદેશમાં નાણર રિફાઇનરી પ્રોજેક્ટ વિરુદ્ધ પ્રદર્શન કરનારાઓ વિરુદ્ધ ના તમામ મામલાઓ પાછા ખેંચ્યા છે. સોમવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેના આદેશ આપ્યા. શિવસેના પહેલાથી જ રાજ્યની રત્નાગિરી જિલ્લાના નાણારમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના પ્રસ્તાવિત પ્રોજેક્ટની વિરુદ્ધ હતી.
નાણર રિફાઇનરી મામલે શિવસેના અને બીજેપી સરકાર વચ્ચે પહેલાથી હતી ખેંચતાણ
આદિત્ય ઠાકરે કહ્યું રિફાઇનરી માટેનું પ્રસ્તાવિત સ્થાન, પર્યાવરણને નુકશાન પહોંચી તેમ હતું
તેને લઇને આ પહેલા શિવસેના અને બીજેપી સરકાર વચ્ચે ખેંચતાણના સમાચાર પણ આવતા રહેતા હતા. સરકારમાં રહેતા પ્રોજેક્ટનો વિરોધ કરતા શિવસેના નેતા આદિત્ય ઠાકરે કહ્યું હતું કે રિફાઇનરી માટે જે પ્રસ્તાવિત સ્થાન હતું, તેના કારણે પર્યાવરણને નુકશાન પહોંચી શકતું હતું. તેઓએ કહ્યું કે પ્રોજેક્ટ એવી જગ્યાએ હોય, જ્યા પર્યાવરણને નુકશાન ન પહોંચતુ હોય અને સ્થાનીય લોકો તેનું સ્વાગત કરતા હોય તો શિવસેના તેનો ક્યારેય વિરોધ નહીં કરે.
પહેલાથી વિરોધમાં હતી શિવસેના
પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરે એ ત્યારે પણ પ્રોજેક્ટનો વિરોધ કરતા દેવેન્દ્ર ફડણવીસ પર હુમલો બોલ્યો હતો. તેઓએ ચેતવણીભર્યા અંદાજમાં કહ્યું હતું કે કંઇપણ થાય પરંતુ શિવસેના નાણર ગામમાં આ પ્રોજેક્ટ શરૂ નહીં થવા દે. નોંધનીય છે કે હજારો એકડ જમીન પર બનનારી તેલ રિફાયનરીના પ્રોજેક્ટ વિરુદ્ધ સ્થાનીય લોકો પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંકણ ક્ષેત્ર શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. એવામાં લોકોનો પ્રોજેક્ટ વિરુદ્ધ રોષ જોઇને શિવસેનાએ પણ સરકારના આ પ્રોજેક્ટનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો.
Maharashtra Chief Minister Uddhav Thackeray orders to withdraw the cases registered against protesters who agitated against the Nanar Refinery project. pic.twitter.com/ANj4lAE0SP
ગત લોકસભા ચૂંટણી માટે શિવેસના-બીજેપીના ગઠબંધનની મુખ્ય શરતોમાંથી એક શરત હતી કે, ફડણવીસ સરકાર કોંકણના રત્નાગિરીમાં લગાવવામાં આવેલી નાણર ગ્રીન રિફાયનરી પ્રોજેક્ટને રદ્દ કરે. એવામાં ચૂંટણીથી પહેલા આ વર્ષે માર્ચમાં તાત્કાલીન દેવેન્દ્ર ફડણવીસ સરકારે શિવસેનાની શર માની લીધી અને ભૂમિ અધિગ્રહણ માટેની સૂચના રદ્દ કરી.