મુંબઇના સત્તાના રંગો ઘણા રેલાયા અને હવે શિવસેનાનો સિંદૂરી કેસરિયો રંગ NCP અને કોંગ્રેસના મિશ્રણ સાથે લાઇટ શેડ પકડીને સત્તા પર રેડાયો છે. આજે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. શરદ પવાર અને સોનિયા ગાંધીના ટેકા પર બિરાજમાન થયા છે. આ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી ઐતિહાસિક શિવાજી પાર્ક બન્યું છે.
શિવાજી પાર્કનું અનોખું મહત્વ
ઉદ્ધવ ઠાકરે લીધા શપથ
બાલા સાહેબે અનેક સભાઓ કરી હતી
શિવાજી પાર્ક અનેક ઘટનાનું સાક્ષી
શિવસેના પાર્ક બ્રિટિશ શાસનમાં અસ્તિત્વમાં આવ્યું હતું. અહીં ભારતને આઝાદી અપાવવાના રાષ્ટ્રવાદી મનસૂબા સાથે ક્રાંતિકારીઓ સભા ગજવતા હતા. મહારાષ્ટ્રને અલગ કરવા માટે થયેલી ચળવળ માટે પણ અહીં રેલીઓ થતી.
શિવસેનાની સ્થાપના થઇ છે આ મેદાનમાં
શિવસેના સમયાંતરે તેની રેલી અહીં જ ગજવતી રહી છે. હિદુત્વના ફાયરબ્રાન્ટ નેતા અને શિવસેનાના નિર્માતા સ્વ. બાલાસાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના અહીં અહીં જ કરી હતી અને અંતિમ યાત્રા પણ અહીંથી જ નીકળી હતી.
સ્વતંત્રતા પહેલા અને ત્યારબાદ અહી ઘણી રેલી યોજાઇ
ભારતની સ્વતંત્રતા પહેલા અને ત્યારબાદ અહી ઘણી રેલી યોજાઇ ચૂકી છે. લાખોની ભીડ અહીં આવે તે સામાન્ય નજારો છે. 1927 સુધી માહીમ પાર્ક તરીકે ઓળખવામાં આવતું હતું અને ત્યારબાદ તેનું નામ મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના નામ પરથી બદલવામાં આવ્યું હતું. આઝાદી બાદ સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળની ગતિવિધીઓ અહીં થતી. આ ચળવળ સ્વતંત્ર મહારાષ્ટ્ર માટે હતી જેના લીધે 1960 માં મહારાષ્ટ્ર ગુજરાતથી અલગ થયું. આ ચળવળનું નેતૃત્વ આચાર્ય પ્રહલાદ કેશવ અત્રેએ કર્યું હતું. 2010 માં બોમ્બે હાઇકોર્ટે પાર્કને સાઇલેન્સ ઝોન જાહેર કર્યો હતો કારણ કે લોકોને ધ્વનિ પ્રદૂષણનો ભોગ બનવું પડ્યું હતું.
ભારતીય ક્રિકેટને વેગવંતી રાખવામાં આ પાર્કનું મોટું યોગદાન
ભારતીય ક્રિકેટને વેગવંતી રાખવામાં આ પાર્કનું મોટું યોગદાન છે. અહીંથી 8 પ્રતિષ્ઠિત ક્રિકેટ ક્લબ ચાલે છે અને જેમાંથી મહાન ખેલાડીઓ ભારતને મળ્યા છે. તેમાં સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, અજીત વાડેકર, વિજય માંજરેકર અને રમાકાંત દેસાઇ જેવા દિગ્ગજ ખેલાડીઓને સમાવેશ થાય છે. માત્ર કેસરિયો રંગ જ નહીં પરંતુ દરેક રંગો આ પાર્કમાં વિખરાયા છે. 6 ડિસેમ્બરના ભારતના બંધારણના ઘડવૈયા બાબાસાહેબને શ્રદ્ધાજલિ આપવા માટે અહીં પહોંચે છે.