શિવસેનાના કદ્દાવર નેતા સંજય રાઉતે એવું કહ્યું કે ઉદ્ધવ ઠાકરે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની રહેશે અને જરુર પડશે તો બહુમતી સાબિત કરીશું.
શિવસેના નેતા સંજય રાઉતે ફોડ પાડ્યો
કહ્યું- ઉદ્ધવ ઠાકરે જ બની રહેશે મુખ્યમંત્રી
રાજીનામું નહીં આપે
જરુર પડશે તો સાબિત કરીશું બહુમતી
મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં શિવેસના અને તેના બળવાખોર નેતાના એક પછી એક નિવેદન સામે આવી રહ્યાં છે. હવે શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની રહેશે અને તેઓ રાજીનામું નહીં આપે. તેમણે કહ્યું કે જરુર પડે અમે બહુમતી પણ સાબિત કરીશું.
સદનમાં બહુમત સાબિત કરીશું-રાઉત
શિવસેનાના નેતા સંજય રાઉતનું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે અને તેઓ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે. રાઉતે કહ્યું કે અમને તક મળશે તો અમે સદનમાં બહુમત સાબિત કરીશું.
શિવસેનાના વધુ 2 ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યાં
શિવસેનાનો વધુ એક ઝટકો લાગ્યો છે. શિવસેનાના વધુ બે ધારાસભ્યો ગુલાબરાવ પાટિલ અને યોગેશ કદમ ગુવાહાટી પહોંચી ગયા છે. અહીં તેઓ એકનાથ શિંદેની આગેવાનીમાં બળવાખોર ધારાસભ્યોના જૂથમાં સામેલ થયા છે. આમાંથી એક ધારાસભ્ય ગઇકાલે ઉદ્ધવ ઠાકરેની ધારાસભ્ય બેઠકમાં સામેલ થયા હતા.
Mumbai | Uddhav Thackeray is Maharashtra Chief Minister and he will remain the CM, says Shiv Sena leader Sanjay Raut. pic.twitter.com/ZDQLIsaSmC
કોંગ્રેસના નેતાઓ ઉદ્ધવને મળશે
કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણ અને બાળાસાહેબ થોરાટ સીએમ આવાસ જઈને ઉદ્ધવ ઠાકરેને મળ્યાં હતા.
અકુદરતી ગઠબંધનમાંથી બહાર નીકળી જવું જોઈએ-એકનાથ શિંદે
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે પાર્ટી સમક્ષ ફરી વાર એક મોટી શરત મૂકી છે. શિંદેએ આસામની હોટલમાંથી ટ્વિટ કરીને કહ્યું કે શિવસેના અને શિવસૈનિકોના અસ્તિત્વ માટે કોઈ પણ ભોગે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાંથી બહાર નીકળી જવું જોઈએ. તેમણે કહ્યું કે છેલ્લા અઢી વર્ષમાં મહાવિકાસ અઘાડી સરકારે ફક્ત સાથી પક્ષોને ફાયદો પહોંચાડ્યો છે અને તેને કારણે શિવસૈનિકોને મોટું નુકશાન થયું છે.