પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રાના પુણેમાં 7 ડિસેમ્બરના રોજ યોજાનાર ડીજીપી કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામેલ થશે. પ્રોટોકોલ મુજબ આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પીએમ મોદીનું સ્વાગત કરશે.
મુખ્યમંત્રી બન્યા બાદ ઉદ્ધવ ઠાકરેની પીએમ મોદી પહેલી મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય મહારાષ્ટ્રની મુલાકાતે
પુણેમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 ડિસેમ્બરની રાતે 19 વાગે પૂણે પહોંચી જશે. ત્યારબાદ 7 ડિસેમ્બરે ડીજીપી કોન્ફરનમાં સામેલ થશે. આ કાર્યક્રમમામ પીએમ મોદીની મુલાકાત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે થશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ ઉદ્ધવ ઠાકરેની પીએમ મોદી સાથે આ પહેલી મુલાકાત હશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ મળીને વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમતિ મળી હતી, પરંતુ મુખ્યમંત્રી પદને લઇને બંને પાર્ટી વચ્ચે સહમતિ બની નહીં. ત્યારબાદ ભાજપે એનસીપી નેતા અજિત પવારની સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી, પરંતુ આ સરકાર માત્ર 80 કલાક ચાલી હતી.
ત્યારબાદ એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શિવસેનાએ સરકાર બનાવી. હવે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે. આમ ભાજપ અને શિવસેના વચ્ચે 30 વર્ષથી પણ જુનુ ગઠબંધન તુટયા બાદ ઉદ્ધવ ઠાકરે અને પીએમ મોદી વચ્ચે 7 ડિસેમ્બરે યોજાનારી મુલાકાત પર બધાની નજર છે.