ભારે ઘમાસાણ બાદ 80 કલાકને અંતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે અજીત પવારે રાજીનામું ધરી દેતા મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો હતો. જો કે, આ ઘટનાના ગણતરીના જ કલાકોમાં મુખ્યપ્રધાન પદેથી દેવેન્દ્ર ફડણવીસે પણ રાજીનામું આપ્યું હતું. અંતે શિવસેના-એનસીપી-કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક યોજાઇ હતી જેમાં સર્વાનુમતે ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રીના નામ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે ઉદ્વવ ઠાકરે
મહાગઠબંધનની બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય
ઘરે પહોંચી ઉદ્ધવ ઠાકરેએ દિવંગત પિતાને કર્યા નમન
જો કે, આ સમયગાળામાં ભાજપના ધારાસભ્યોની પણ એક બેઠક મહારાષ્ટ્રમાં યોજાઇ હતી. જેમાં પક્ષના દિગ્ગજ નેતાઓ સામેલ થયાં હતા. નોંધીય છે કે, મોડી સાંજે શિવસેના-એનસીપી-કોંગ્રેસના પ્રતિનિધિઓ રાજ્યપાલ કોશ્યારીને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.
ઉદ્ધવ ઠાકરેનો શપથ ગ્રહણ સમારોહ 28 નવેમ્બરના રોજ 6.40 વાગે મુંબઇના શિવાજી પાર્ક ખાતે યોજાશે.
ભાજપે ઉદ્ધવ ઠાકરેને આપ્યા અભિનંદન
Ashish Shelar, BJP after attending party meeting in Mumbai: In coming days we will serve people, sitting in the opposition. We received information that 'Maha Vikas Aghadi' is going to stake claim to form government with Uddhav Thackeray as CM, we congratulate them. #Maharashtrapic.twitter.com/m3AlvoLAS8
ભાજપના ધારાસભ્યોની બેઠર બાદ ધારાસભ્ય આશીષ શેલ્લારે કહ્યું કે અમે જનતા માટે કરતા રહીશું અને વિપક્ષમાં બેસીશું. અમને જાણકારી મળી છે કે, મહા વિકાસ અઘાડી દ્વારા ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અમે તેમને અભિનંદન આપીએ છીએ.
28 નવેમ્બરે શપથ લેશે ઉદ્ધવ ઠાકરે
Swearing in ceremony of Uddhav Thackeray as Maharashtra Chief Minister preponed to 28th November. https://t.co/A6Ogff3ZJl
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરે 1 ડિસેમ્બરના રોજ શપથ લેવાના હોવાની વાતો ઉડી હતી. જો કે, આગામી 28 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના 19 માં મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે. આ શપથગ્રહણ સમારોહ શિવાજી પાર્ક ખાતે યોજાશે
શિવસેના-કોંગ્રેસ-NCP ના પ્રતિનિધિઓએ સમર્થન ચિઠ્ઠી રાજ્યપાલને સોંપી
Mumbai: 'Maha Vikas Aghadi' MLAs and leaders submitted letter to Governor Bhagat Singh Koshyari declaring Shiv Sena Chief Udhhav Thackeray as their leader. #Maharashtrapic.twitter.com/twlMVGYAiB
ઉદ્ધવ ઠાકરેની સર્વાનુમતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ શિવસેના-કોંગ્રેસ-NCP ના પ્રતિનિધિઓએ રાજ્યપાલને ધારાસભ્યોના સમર્થનની એક ચિઠ્ઠી સોંપી હતી.
માતોશ્રી પહોંચી પિતાના ફોટાને ઉદ્ધવ ઠાકરેએ કર્યા નમન
NCP-કોંગ્રેસ-શિવસેનાની બેઠક બાદ ઉદ્ધવ ઠાકરે પોતાના નિવાસ સ્થાન માતોશ્રી પહોંચ્યાં હતા. ત્યાં તેમણે દિવંગત પિતા બાલા સાહેબ ઠાકરેની તસવીર સમક્ષ માથું નમાવી વંદન કર્યા હતા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું ધરી દીધા બાદ ભાજપના ધારાસભ્યોની પણ એક બેઠક મહારાષ્ટ્ર ખાતે યોજાઇ હતી.
રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો
Mumbai: Congress-NCP-Shiv Sena leaders arrive at the Raj Bhavan. Shiv Sena chief Uddhav Thackeray has been elected as the CM candidate of 'Maha Vikas Aghadi'. #Maharashtrapic.twitter.com/E6DLrviVP6
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું ધરી દીધા બાદ શિવસેન-NCP- કોંગ્રેસના નેતા રાજભવન પહોંચ્યા હતા. આદિત્ય ઠાકરે પણ રાજભવનમાં હાજર રહ્યા હતા.
શરદ પવારને મળવા માટે પહોંચ્યા અજીત પવાર
Mumbai: Ajit Pawar leaves from his brother Sriniwas Pawar's residence, to meet Sharad Pawar at his residence Silver Oak. #Maharashtrapic.twitter.com/BWJ2EIZI20
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અજીત પવાર NCP ના પ્રમુખ શરદ પવારને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. સુપ્રિયા સુલે પણ શરદ પવારના ઘરે હાજર હતા. પ્રાપ્ત થયેલ વિગત અનુસાર સુપ્રીયા સુલે જ અજીત પવારને રિસીવ કરવા માટે પહોંચી હતી.
રાજ્યપાલને મળવા પહોંચ્યા ગઠબંધનના નેતા
એનસીપી-કોંગ્રેસ-શિવસેનાના ગઠબંધનનાં નેતાઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરીને મળવા રાજ્ય ભવન પહોંચ્યા હતા. ગઠબંધનના ત્રણ પ્રતિનિધિઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. આપને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરે 1 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે.