મહારાષ્ટ્ર (Maharashtra)માં એનસીપી અને કોંગ્રેસની મદદથી સરકાર બનાવવામાં સફળ બનનારી શિવસેના ગત કેટલાક સમયથી એનસીપી પ્રમુખ શરદ પવારની પ્રશંસા કરતા થાકતી નથી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એકવાર ફરી એનસીપી પ્રમુખ શરદ પવારની પ્રશંસા કરી છે.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શરદ પવારની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી
શરદ પવારે શીખવાડ્યું, ઓછી બેઠકોથી પણ કેવી રીતે સરકાર બનાવી શકાય
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરી
તેઓએ મુંબઇના વસંતદાદા સુગર ઇન્સ્ટીટ્યૂટમાં પોતાના સંબોધન દરમિયાન પણ આમ કર્યું. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના મુખ્ય યોજનાકાર શરદ પવાર વિશે કહ્યું, અમે અહીં વાત કરી રહ્યા છીએ કે, થોડી જમીનમાં પણ વધારે પાક કેવી રીતે ઉગાડી શકાય છે, પરંતુ શરદ પવારે ન માત્ર પાકની માત્રા વધારવાનું શીખવાડ્યું પરંતુ સાથે એમ પણ શીખવાડ્યું કે, ઓછી બેઠકોથી પણ કેવી રીતે સરકાર બનાવી શકીએ છીએ. ખાસ વાત એ છે કે, આ દરમિયાન શરદ પવાર સ્ટેજ પર હાજર હતા.
પોતાના ભાષણ દરમિયાન શિવસેના પ્રમુખે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના એ નિવેદનને લઇને તેમની ઝાટકણી કાઢી કે, જેમા તેઓેએ કહ્યું હતું કે, ભાજપ મહારાષ્ટ્ર વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં સંપૂર્ણ કૃષિ દેવા માફીનો બુધવારે વિશ્વાસ અપાવ્યો છે.