કોરોના સંકટ સામે લડવા માટે સમગ્ર દેશ એક સાથે ઉભો છે. કોઇ ઘરમાં રહીને દેશની સેવા કરી રહ્યા છે તો કોઇઉ પોતાની મહેનતની કમાણીનું દાન કરીને સહયોગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ગઇકાલે શાહરૂખ ખાને પણ આ જંગમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ ઘટનાને લઇને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ટ્વીટ કરીને શાહરૂખ ખાનનો આભાર માન્યો હતો.
કોરોના સામેની જંગ યથાવત
ઉદ્ધવ ઠાકરેએ શાહરૂખ ખાનનો માન્યો આભાર
શાહરૂખે મરાઠીમાં આપ્યો જવાબ
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ શાહરૂખ ખાન અને ગૌરીખાનને થેન્ક્યૂ કહીને આભાર માન્યો હતો. જો કે, શાહરૂખ ખાને તેમને મરાઠીમાં જવાબ આપીને હેરાન કરી દીધા હતા.
ચાહકો પણ શાહરૂખની મરાઠી ટ્વીટ જોઇને ચોંકી ગયા હતા. શાહરૂખ ખાને મરાઠીમાં લખ્યું કે, આપણે સૌ એક પરિવાર છીએ. આ સમયે સ્વસ્થ રહેવા માટે આપણે સૌએ સાથે રહેવું જોઇએ.
આદિત્ય ઠાકરેના કર્યા વખાણ
આદિત્ય ઠાકરેએ પણ શાહરુખનો મદદ માટે આભાર માન્યો. શાહરૂખે જવાબ આપતા તેમના વખાણ કર્યા હતા અને કહ્યું કે, મહારાષ્ટ્રના વિકાસ માટે સખત મહેનત કરી છે. એટલું જ નહીં શાહરૂખ ખાને આદિત્યને નવરાશના સમયમાં કવિતા લખવા કહ્યું હતું.
કેજરીવાલે માન્યો આભાર
सर आप तो दिल्लीवाले हो, thank you मत करो, हुक्म करो। अपने दिल्लीवाले भाइयों और बहनों के लिए हम लगे रहेंगे। ईश्वर ने चाहा तो जल्द ही इस crisis से हम जीत कर निकलेंगे। More strength, resilience and power to your teams on ground sir. https://t.co/PoL7mLtlKa
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાને પ્રધાનમંત્રી રાહત ફંડમા આપેલ દાનને લઇને ઘણા બધા દિગ્ગજોએ તેમનો આભાર માન્યો હતો ત્યારે દિલ્હીના મુખ્યમંત્રીએ પણ શાહરૂખનો આભાર માનત શાહરૂખ ટ્વીટમાં જવાબ આપ્યો હતો કે, સર, આપતો દિલ્હીવાળા છો, હુકમ કરો.
શાહરૂખ ખાને મદદની કરી છે જાહેરાત
In these times it’s imp to make everyone around u working tirelessly for u.. not related to u.. perhaps even unknown to u... to feel they are not alone and by themselves. Let’s just make sure we all do our little bit to look after each other. India and all Indians are One Family. https://t.co/LWz4wQGaPe
શાહરૂખ ખાને પીએમ કેયર્સ ફંડમાં દાન આપવા ઉપરાંત અન્ય પણ સહાયનું એલાન કર્યું હતું. તેમની ફિલ્મ પ્રોડક્શન કંપની રેડ ચીલીએ ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં લખ્યું છે: '
1. કોલકાતા નાઈટ રાઇડર્સના કો-ઓનર શાહરૂખ ખાન, ગૌરી ખાન, જુહી ચાવલા મહેતા અને જય મહેતાએ પીએમ કેયર્સ ફંડમાં ફાળો આપવાનો સંકલ્પ કર્યો છે.
2. રેડ ચિલીના માલિક ગૌરી ખાન અને શાહરૂખ ખાને પણ મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં ફાળો આપવાનો સંકલ્પ કર્યો છે.
3. હેલ્થ કેયર વર્કર્સના સપોર્ટ અને સલામતી માટે 50,000 પર્સનલ પ્રોટેક્ટિવ સાધનો એટલે કે પી.પી.ઇ. નું યોગદાન.
4. મીર ફાઉન્ડેશનના સહયોગથી દરરોજ એક મહિના માટે મુંબઈના 5500 પરિવારોને ભોજન આપવાનો સંકલ્પ
5. ગરીબ અને રોજમદાન મજૂરોને એક મહિના સુધી ભોજનની કીટ આપવી.
6. એસિડ સર્વાઇવરની મદદ કરવી વગેરે.