મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત એવા મુંબઇને સેનાના તહેનાત કરવાની અટકળોને ફગાવી દીધી છે. જો કે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જરૂરિયાત પડી તો કેન્દ્રીય બળોની માંગ કરી શકાય. ઉદ્ધવ ઠાકરેએ માન્યું કે રાજ્યમાં હજુ કોરોના વાયરસનું ચક્ર તુટયું નથી.
ઉદ્ધવ ઠાકરેએ જો કે આશ્વાસન આપતાં કહ્યું કે દરેક જગ્યાએ અને વિશેષ કરીને મુંબઇમાં પર્યાપ્ત આરોગ્ય કેન્દ્ર ઉપલબ્ધ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 19 હજારને પાર થઇ ગઇ છે. જેમાં અંદાજે 12 હજાર મામલા એકલા મુંબઇમાં સામે આવ્યાં છે.
ઉદ્ધવ ઠાકરેએ લોકોને અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરતા મહારાષ્ટ્ર સરકાર જરૂરિયાત પડવા પર કેન્દ્ર પાસે વધારાનું દળ તહેનાત કરવાનો અનુરોધ કરી શકે છે, જેના કારણે તબકકાવાર પોલીસકર્મીઓને આરામ મળી શકે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું કે તેનો એ મતલબ નથી કે મુંબઇને સેનાના હવાલે કરી દેવામાં આવે. પોલીસકર્મીઓ 24 કલાક કામ કરવાના કારણે થાકી ગયા છે, કેટલાંક તો બિમાર પડી ગયા છે અને કેટલાકની વાયરસ સંક્રમિત થયા બાદ જીવ ગયો છે.
ઉદ્ધવ ઠાકરેએ એ પણ સ્વીકાર કર્યો કે વાયરસને નિયંત્રણ કરવામાં આવ્યો છે, પરંતુ તેના ચક્રને તોડવામાં રાજ્ય હજુ સુધી સફળ રહ્યું નથી. ઠાકરેએ કહ્યું કે લોકડાઉન 17 મે બાદ પણ વધારાવામાં આવશે કે નહીં તે આ વાત પર નિર્ભર કરે છે કે લોકો કેટલું લોકડાઉનનો અમલ કરે છે અને નિયમોનું પાલન કરે છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એક દિવસે તો આપણે આ લોકડાઉનમાંથી બહાર નીકળવું પડશે. આપણે હંમેશા આવી રીતે ન રહી શકીએ. પરંતુ તમારે જલ્દી બહાર નીકળવા માટે તમારે નિયમોનું પાલન કરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સ બનાવી રાખવું પડશે અને મોઢા પર માસ્ક પહેરવું પડશે.