સુશાંત સિંહ કેસ શરુ થયો ત્યારથી જ બોલિવૂડ અને મહારાષ્ટ્ર સરકારને લઈને ઘણા વિવાદો ચાલી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પ્રયત્નો શરુ કર્યા છે. આ વાતથી હવે મહારાષ્ટ્રના રાજકારણમાં બેચેની જોવા મળી રહી છે.
ઉત્તરપ્રદેશમાં યોગીએ સૌથી મોટી ફિલ્મ સિટી સ્થાપિત કરવાની જાહેરાત કરી
ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખત્મ કરવાના પ્રયત્નોને સાંખી લઈશું નહીં : ઉદ્ધવ ઠાકરે
બોલિવૂડને લઈને આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે મુંબઈની હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બદનામ કરવા, તેને ખતમ કરવા અને સ્થાનાંતરિત કરવાના કોઈ પ્રયત્નને સાંખી લઈશું નહીં. બોલિવૂડની ચાહકો આખી દુનિયામાં છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી મોટા પ્રમાણમાં લોકોને રોજગાર આપે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખત્મ કરવાના પ્રયત્નોને સાંખી લઈશું નહિ.
નોંધનીય છે કે ગયા મહીને જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ ઉત્તરપ્રદેશમાં ભારતની સૌથી મોટી ફિલ્મ સિટી સ્થાપિત કરવાની જાહેરાત કરી છે.
ઠાકરેના આ નિવેદન બાદ આખા રાજ્યમાં રાજકારણ પણ ગરમાયું હતું અને તે બાદ ઘણી બધી રાજકીય પાર્ટીઓએ નિવેદન આપ્યું છે. રાજ ઠાકરેની પાર્ટીએ નિવેદન આપ્યું કે ભૂતકાળમાં પણ બોલિવૂડના કલાકારો પર ગંભીર કેસ થયેલા છે અને સજા થઇ છે પણ ક્યારેય કોઈએ બોલિવૂડના અન્ય લોકોને ખલનાયક નથી બનાવ્યા. પણ હવે જાણીજોઇને બોલિવૂડને બદનામ કરવાના કાવતરા કરવામાં આવી રહ્યા છે. માત્ર આટલું જ નહીં અહિયાંથી બોલિવૂડને હટાવી દેવાના પણ કાવતરા થઇ રહ્યા છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં નેતાએ કહ્યું કે મનસે આવ્ય ક્યારેય થવા દેશે નહીં. ટેકનીશીયનથી કલાકાર સુધી કોઈએ ગભરાવવાની જરૂર નથી, કારણ કે રાજસાહેબ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તમારા પાછળ છે અને રહેશે. આ અમારા શબ્દ છે.
શરદ પવારની પાર્ટીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે કહ્યું કે બોલિવૂડને બદનામ કરીને તેને મુંબઈથી બહાર ઉત્તર પ્રદેશમાં સ્થાનાંતરિત કરવાના પ્રયત્ન થઇ રહ્યા છે. અમે તેની મંજૂરી આપીશું નહિ.