કંગના વિવાદ અને તે બાદ પૂર્વ સેના ઓફિસર પર હુમલાની ઘટના પર ખૂબ ચર્ચા થઇ રહી છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તે ચુપ છે તેનો અર્થ એ નથી કે જવાબ નથી.
ચુપ છું એનો અર્થ એ નથી કે જવાબ નથી : ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રનું નામ ખરાબ કરવાના પ્રયત્નો : ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્ર સરકારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સારું કામ કર્યું : ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રમાં વર્તમાનમાં કંગના રણૌત વિવાદ અને તે બાદ શિવસેનાના અમુક નેતાઓ દ્વારા એક વૃદ્ધ સેનાના અધિકારી પર હુમલાની ઘટનાના કારણે ઉદ્ધવ ઠાકરે પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. આમ છતાં ઉદ્ધવ ઠાકરેએ મૌન ધારણ કર્યું છે. શિવસેના તરફથી સંજય રાઉત જ જવાબ આપી રહ્યા છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ પોતાના મૌન વિશે આજે કહ્યું તે મહારાષ્ટ્રની બદનામી વિશે વાત કરશે.
કંગના રણૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારે સામે આવ્યા અને લાઈવમાં જનતાને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે તે ચુપ છે તેનો અર્થ એ નથી કે તેમની પાસે જવાબ નથી. તે બાદ કોરોના વાયરસને લઈને જાગરુક રહેવા અપીલ કરી.
પોતાના સંબોધનની શરૂઆત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રને લઈને જે ચીજવસ્તુ થઇ રહી છે તેના પર હું વાત કરીશ. કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસ સંકટ વધી રહ્યું છે. બધા જ ધર્મના લોકો સામાજિક જવાબદારીનું પાલન કરીને તહેવાર ઉજવે. કોરોના વાયરસ સંકટ વધી રહ્યું છે અને હજુ વધારે વધશે.
ઠાકરેએ આગળ કહ્યું કે હું બોલી નથી રહ્યો એનો અર્થ એવો નથી કે મારી પાસે જવાબ નથી. મહારાષ્ટ્ર સરકાર સતત પ્રતિકૂળ પરિસ્થિતિમાં રહીને કામ કરી રહી છે. તોફાન પણ મુંબઈ આવીને ગયું. મહારાષ્ટ્ર સરકારે આ પરિસ્થિતિમાં સારું કામ કર્યું છે.
તેમણે કહ્યું કે અત્યારે હું રાજનીતિ કરવા માંગતો નથી પરંતુ તેનો અર્થ એ નથી કે મારા પાસે જવાબ નથી. મહારાષ્ટ્રને બદનામ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને તે માટે હું મહારાષ્ટ્રની બદનામી પર વાત કરીશ.