શિવસેનાએ બળવાખોર બનેલા તેના નેતા એકનાથ શિંદેની સામે પહેલું મોટું પગલું ભર્યું છે. શિવસેનાએ શિંદેને ધારાસભ્ય દળના નેતા તરીકે હટાવી દીધા છે.
Shiv Sena has decided to remove Eknath Shinde as its Legislative party leader, Sewri MLA Ajay Chaudhary to be the new Shiv Sena Legislative Party leader: Sources pic.twitter.com/9lXJyNLQc3
બાળાસાહેબના કટ્ટર શિવસૈનિક છીએ, સત્તા માટે દગો નહીં કરીએ-શિંદે
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેનું સૂચક ટ્વિટ, અમે બાળાસાહેબના કટ્ટર શિવસૈનિક છીએ, બાળાસાહેબે અમને હંમેશા કટ્ટર હિન્દુત્વ શીખવ્યું છે, સત્તા માટે તેમના વિચારો સાથે છેતરપિંડી કરીશું નહીં. ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે તેમના સમર્થક 25 ધારાસભ્યોને લઈને સુરતમાં હોટલમાં રોકાયા છે.
મહારાષ્ટ્ર શિવસેનામાં ભંગાણ
મહારાષ્ટ્ર શિવસેનામાં ભંગાણના સમાચાર સામે આવી રહ્યાં છે. શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ જોવા મળી રહ્યાં છે. નેતા એકનાથ શિંદે સાથે સંપર્ક ન થતા શરદ પવાર એક્ટિવ થયા છે અને મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેએ પ્રસ્તાવ આપ્યો હોવાનો મહારાષ્ટ્રના સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે જાણવા મળી રહ્યું છે. એકનાથ શિંદે પાસે શિવસેનાના 30થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ પણ મોડી રાત્રે ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી.