મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક કાર્યક્રમ દરમિયાન પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ નેતા નીતિન ગડકરીની પ્રશંસા કરી. બંને નેતાઓને રાજ્યના વિકાસ માટે કરેલા કામોને લઇને પ્રશંસા કરી.
ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસ-ગડકરીની કરી પ્રશંસા
રાજ્યના વિકાસ માટે કરેલા કામોને લઇને કરી પ્રશંસા
ઠાકરેના નિવેદનથી અટકળોનું બજાર થયું ગરમ
ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમય સુધી સાથે રહેલ ભાજપથી અલગ જઇને શિવસેનાએ વિરોધાભાસી વિચારધારાવાળા કોંગ્રેસ-NCP સાથે સરકાર બનાવી લીધી. જો કે હવે ઉદ્ધવ ઠાકરેના નિવદેનથી ફરી અટકળોનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે.
નાગપુર મેટ્રોની એક્વા લાઇનનું ઉદ્ધાટન માટે વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરી રહેલા રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ અને નીતનિ ગડકરી માટે રાજ્યના વિકાસ માટે ભરેલા પગલા માટે પ્રશંસા કરી.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે સરકાર સાથે જોડાયેલા હતા. અમે ભલે એક ટ્રેનમાં નહોતા પરંતુ આજે અમે એક સ્ટેશન પર ઉભા છીએ. રાજકારણમાં જ્યારે કોઇ કામના શ્રેયની વાત આવે છે તો એક નેતા ત્યાં સુધી નેતા નથી હોતો જ્યાં સુધી તે શ્રેય ન લે, પરંતુ હું નમ્રતાથી કહેવા માગુ છુ કે અમને શ્રેય નહીં, લોકોનો આશીર્વાદ જોઇએ.
ઉલ્લેખનીય છે કે શિવસેનાએ ભાજપથી અલગ રસ્તે જઇ કોંગ્રેસ અને NCP સાથે સરકાર બનાવી લીધી હતી. જો કે કેટલાંક મુદ્દાઓ પર શિવસેનાનો બંને પાર્ટીઓ સાથે અલગ વિચારધારાના કારણે ટકરાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉદ્ધવ ઠાકરેની ફડણવીસની પ્રશંસાને લઇને રાજયના રાજકારણમાં અટકળો ફરી તેજ થઇ ગઇ છે.