મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યાં છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રીનો સત્તાવાર વર્ષા બંગલો ખાલી કરી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ વચ્ચે મોટા સમાચાર
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આપી શકે રાજીનામું
ઉદ્ધવ ઠાકરેએ ખાલી કર્યો મુખ્યમંત્રીનો બંગલો
વર્ષા બંગલામાંથી સામાન ખાલી કરતા જોવા મળ્યાં
માતોશ્રીમાં રહેવા જશે
મહારાષ્ટ્રની રાજકીય કટોકટીની વચ્ચે હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી શકે છે. બુધવારે રાતે સીએમ ઉદ્ધવ ઠાકરે વર્ષા બંગલો ખાલી કરતા નજરે ચડ્યાં હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના સત્તાવાર બંગલાનું નામ વર્ષા છે. ઉદ્ધવ ઠાકરે વર્ષામાંથી માલસામાન લઈને જતા એક વીડિયોમાં જોઈ શકાતા હતા.
ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી આવાસથી રવાના, માતોશ્રી જવા રવાના
ફેસબુક લાઇવ પર મહારાષ્ટ્રની જનતાને સંબોધિત કરતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ તો આ પદ પરથી રાજીનામું આપવાની વાત પણ કહી હતી. હવે મોડી રાત્રે તેઓ સીએમ આવાસ છોડીને માતોશ્રી જવા રવાના થઈ રહ્યા છે. તે તેની સાથે સામાન પણ લઈ જઈ રહ્યાં હતા.
Maharashtra Minister Aaditya Thackeray along with his mother Rashmi Thackeray and brother Tejas Thackeray follow Maharashtra CM Uddhav Thackeray as he leaves from his official residence in Mumbai. pic.twitter.com/fOfq9bZN1n
આદિત્ય ઠાકરે અને રશ્મિ ઠાકરે પણ મુખ્યમંત્રી આવાસમાંથી બહાર નીકળ્યાં
આદિત્ય ઠાકરે અને તેમની માતા રશ્મિ ઠાકરે અને તેજસ ઠાકરે પણ ઉદ્ધવને પગલે વર્ષા બંગલામાંથી બહાર નીકળી ગયા હતા અને હવેથી આખો ઠાકરે પરિવાર તેમના અંગત આવાસ માતોશ્રીમાં રહેશે.
માતોશ્રીની બહાર શિવસૈનિકોનો જમાવડો
ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર શિવસૈનિકો અને કાર્યકરોનો જમાવડો થયો હતો. લોકો તેમના નેતા સાથે સહાનુભૂતિ પ્રગટ કરવા માટે આવ્યાં હતા, તેમણે ઉદ્ધવના સમર્થનમાં નારેબાજી કરી હોવાનું પણ કહેવાય છે.
ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની રહેશ-સંજય રાઉતનું નિવેદન
મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં શિવેસના અને તેના બળવાખોર નેતાના એક પછી એક નિવેદન સામે આવી રહ્યાં છે. હવે શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની રહેશે અને તેઓ રાજીનામું નહીં આપે. તેમણે કહ્યું કે જરુર પડે અમે બહુમતી પણ સાબિત કરીશું.
#WATCH Maharashtra CM Uddhav Thackeray along with his family leaves from his official residence, amid chants of "Uddhav tum aage badho, hum tumhare saath hain" from his supporters.#Mumbaipic.twitter.com/m3KBziToV6
સદનમાં બહુમત સાબિત કરીશું-રાઉત
શિવસેનાના નેતા સંજય રાઉતનું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે અને તેઓ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે. રાઉતે કહ્યું કે અમને તક મળશે તો અમે સદનમાં બહુમત સાબિત કરીશું.