મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ ઉદ્ધવ ઠાકેરની આજે પહેલી અગ્નિ પરીક્ષા છે. ઉદ્ધવ સરકાર આજે વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરશે. જો કે તેમ છતાં અઘાડીના એ દાવાની હકીકત પણ સામે આવી જશે જેમાં લખવામાં આવ્યું હતુ 'અમારી સાથે 162'.
ઉદ્ધવ સરકારની આજે પ્રથમ પરીક્ષા
વિધાનસભામાં આજે ફલોર ટેસ્ટ
162 સંખ્યાપર રહેશે નજર
જો ફલોર ટેસ્ટમાં ઉદ્ધવ સરકાર 162 મતથી ઓછો એક પણ મત મેળવે છે તો ભલે સદનમાં વિશ્વાસ મત મેળવી લે પરંતુ ઉદ્ધવ ઠાકેર જીતી ને પણ હારી જશે. જો કે કોંગ્રેસના ધારાસભ્યએ એકવાર ફરી દાવો ક્યો છે કે વિશ્વાસ મતમાં અમને 168થી વધારે મત મળશે.
મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલવચ્ચે કોંગ્રેસ-NCP-શિવસેનાએ સોમવારે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. સોમવારે મુંબઇની હોટલમાં કોંગ્રેસ, શિવસેના અને NCP ના ધારાસભ્યો એકજૂટ થયા હતા.
જેમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને મલ્લિકાર્જૂન ખડગે સહિત દિગ્ગજ ઉપસ્થિત રહ્યાં હતા. ત્રણ પાર્ટી દ્વારા 162 ધારાસભ્યોની પરેડ કરવાનો દાવો કર્યો. જો કે જેમાં 'અમારી સાથે 162' જેવા પોસ્ટર લગાવામાં આવ્યા હતા.
જો કે સોશિયલ મીડિયામાં કરેલા દાવાને લઇને ચર્ચા શરૂ થઇ જતાં શિવેસનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ આ મામલે ટ્વિટ કરી દાવો કર્યો હતો કે માત્ર 158 ધારાસભ્ય હાજર હતા.