ઉદ્ધવે કહ્યું પાક.ના પૂર્વ પીએમ શરીફને નહીં આપણા પીએમને મળ્યો છું.
સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને મરાઠા અનામતથી માંડીને કોરોના સંકટ તથા તાઉતે તોફાનથી થયેલા નુકશાન સહિત ઘણા મુદ્દે ચર્ચા કરી. બેઠકમાં સીએમની સાથે ડેપ્યુટી સીએમ અજિત પવાર અને કેબિનેટ મંત્રી અશોક ચવાણ પણ હાજર હતા પરંતુ ત્યાર બાદ ઉદ્ધવે પીએમ સાથે એકલા 10 મિનિટ ચર્ચા કરી જેનાથી રાજકીય અટકળબાજી શરુ થઈ છે.
પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે અમે ભલે રાજકીય રીતે સાથે નથી પરંતુ તેનો એવો અર્થ નથી કે અમારો સંબંધ પૂરો થયો છે. હું કોઈ નવાઝ શરીફને મળવા ગયો નહોતો. જો હું પ્રધાનમંત્રીને અલગથી મળું તો તેમાં શું ખોટું હોઈ શકે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે મેં પીએમ સાથેની બેઠકમાં મહારાષ્ટ્રની સમસ્યાઓ રજૂ કરી, અત્યંત સકારાત્મક માહોલમાં અમારી વાતચીત થઈ. ઉદ્ધવ ઠાકરેએ વેક્સિન પોલિસીમાં ફેરફાર કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો.
મોદી અને ઉદ્ધવની મુલાકાતના 5 મુખ્ય મુદ્દા
-મરાઠા અનામતના મુદ્દે ચર્ચા થઈ
- મેટ્રો કાર શેડ પરિયોજના-3 માટે જગ્યાની માંગ કરી
- પાક વીમાના મુદ્દે વાતચીત થઈ
- એનડીઆરએફના નિયમોમાં છૂટ આપવાની માંગ કરી
- મરાઠી ભાષી લોકોને એલિટ ક્લાસમાં રાખવામાં આવે
મુખ્યમંત્રી બન્યા બાદ ઉદ્ધવની મોદી સાથે બીજી મુલાકાત
ઉદ્ધવ ડેપ્યુટી સીએમ અજિત પવાર અને કેબિનેટ મંત્ર અશોક ચવાણની સાથે પ્રધાનમંત્રીને પીએમ આવાસમાં મળ્યાં હતા. પરંતુ મોદી સાથેની મીટિંગમાં એકલા ઉદ્ધવ હાજર રહ્યાં હતા. મુખ્યમંત્રી બન્યા બાદ બીજી વાર ઉદ્ધવ ઠાકરે મોદીને મળ્યાં છે. બન્નેની પહેલી મુલાકાત 6 ડિસેમ્બર 2019 ના રોજ થઈ હતી. તેમણે કહ્યું કે મેં પ્રધાનમંત્રીને મરાઠા અનામતથી માંડીને મેટ્રો કાર શેડ, એનડીઆરએફની જોગવાઈઓમાં ફેરફારની માંગ કરી.