અગાઉ, સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે, જ્યારે ઉદ્ધવ ઠાકરેએ આ જાહેરાત કરી ત્યારે તેમની સરકાર લઘુમતીમાં હતી, તેથી અમે તેના પર નિર્ણય લઈશું.
શિંદે સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવાનું એલાન કર્યું
આ પહેલા ઉદ્ધવ ઠાકરેની સરકારે લીધો હતો આ નિર્ણય
નામ બદલવાની જાહેરાત ઉદ્ધવે નહી પરંતુ બાળ ઠાકરેએ કરી હતી - એકનાથ શિંદે
મહારાષ્ટ્રના નવા CM એકનાથ શિંદે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવાનું એલાન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં ઔરંગાબાદનું નામ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ કરવાનો નિર્ણય લીધો છે. સાથે નવી મુંબઈના એરપોર્ટનું નામ બદલીને ડીબી પાટિલ એરપોર્ટ કર્યું છે. જો કે, આ પહેલા ઉદ્ધવ ઠાકરેની સરકારે આ નિર્ણય લીધો હતો. પરંતુ હવે ગેરકાનૂની જણાવતા એકનાથ શિંદેને ફરી એકવાર તેને કેબિનેટમાં પસાર કરાયું છે.
ઉદ્ધવ ઠાકરે કર્યું હતું એલાન
તમને જણાવી દઈએ કે, આ પહેલા CM ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના આ શહરો અને એરપોર્ટનું નામ બદલવાનું એલાન કરી કર્યું હતું . આ એલાન ત્યારે થયું હતું જ્યારે એકનાથ શિંદે પોતાની સાથે 40 ધારાસભ્ય ગુવાહાટી પહોંચી ચુક્યા છે. અને ઉદ્ઘવ સરકાર પડવાની હતી. તેના કેટલાક કલાક પછી ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી દીધું છે. આ માટે એકનાથ શિંદેએ સીએમ બન્યા બાદ હવે પોતે કેબિનેટની બેઠક કરી આ નિર્ણય પર મહોર લગાવી હતી અને કહ્યું હતું કે, પહેલા લેવાયેલો નિર્ણય અમાન્ય હતો.
નામ બદલવાની જાહેરાત ઉદ્ધવે નહી પરંતુ બાળ ઠાકરેએ કરી હતી - એકનાથ શિંદે
અગાઉ એકનાથ શિંદેએ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણય લીધો નથી, પરંતુ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેએ ઘણા દાયકાઓ પહેલા ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવાની જાહેરાત કરી હતી. ઔરંગાબાદનું નામ મુઘલ સમ્રાટ ઔરંગઝેબના નામ પરથી રાખવામાં આવ્યું છે.