મહારાષ્ટ્રમાં દરક પળે સત્તાનું ગણિત બદલાઇ રહ્યું છે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે આજરોજ મુંબઇની ટ્રાઇડેન્ટ હોટલમાં એક મુલાકાત યોજાઇ હતી. જેમાં આગામી સમયગાળાના આયોજન મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
કોંગ્રેસની નેતાઓ સાથેની મુલાકાત બાદ ઉદ્વવ ઠાકરેનું નિવેદન
કોંગ્રેસ સાથે શું વાત થઇ કેવી રીતે જણાવું
સંજય રાઉતે કર્યું ટ્વિટ
નોંધનીય છે કે, બેઠક પૂર્ણ થયાં બાદ ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ સાથે શું વાત થઇ કેવી રીતે જણાવું? તેમણે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ સાથે સકારાત્મક અભિગમ સાથે વાતચીત થઇ છે અને યોગ્ય સમયે તેની જાહેરાત કરવામાં આવશે.
શિવસેનાના રાજ્યસભાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતને બુધવારે બપોરે લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી શિવસેના તરફથી જ હશે. તેમણે કહ્યું કે તેમની તબિયત બરાબર છે અને તમામની સાથે વાટાઘાટો ચાલી રહી છે.
નોંધનીય છે કે, આ અગાઉ શિવસેનાએ બુધવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા કે ભાજપ મહારાષ્ટ્રમાં અન્ય પક્ષોની સરકાર બનાવવાની મુશ્કેલીઓનો આનંદ માણી રહ્યું છે. તે જ સમયે, સંજય રાઉતે મહારાષ્ટ્રમાં હાલના પોતાના રાજકીય પ્રતિદ્વંદીએ કોંગ્રેસ અને NCP સાથે સરકાર ગઠન માટે તેમની પાર્ટીના પ્રયાસોને ધ્યાનમાં રાખીને મુશ્કેલ માર્ગનો સંકેત આપ્યો હતો. આ સાથે જ તેમણે પોતાના પોતોના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ત્રણ વખત અગ્નિપથ શબ્દનું ટ્વિટ કર્યું હતું. આ સાથે જ તેમણે લખ્યું કે, અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ.
શિવસેનાએ સામે ચાલીને કોંગ્રેસનો સંપર્ક કર્યો
ઠાકરેએ વધુમાં કહ્યું કે સોમવારે શિવસેનાએ કોંગ્રેસનો સંપર્ક કર્યો હતો. ભાજપનો આરોપ લગાવવો કે શિવસેના પહેલેથી જ એનસીપીનાં સંપર્કમાં હતી તે તદ્દન ખોટું છે. કોંગ્રેસ-એનસીપીની જેમ જ શિવસેનાને પણ કોમન મીનીમમ પ્રોગ્રામ માટે ચર્ચાની જરૂર છે.શિવસેના અધ્યક્ષે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં ભાજપે મેહબુબા મુફ્તી સાથે સરકાર કઈ રીતે બનાવી. ઉલ્લેખનીય છે કે સોમવારે શિવસેના સમર્થન પત્ર બતાવવામાં નિષ્ફળ રહી હતી. ઠાકરેએ આરોપ લગાવ્યો કે ભાજપની સમયસીમા પૂરી થાય તે પહેલાં જ શિવસેનાને આમંત્રણ આપવામાં આવ્યું.
મહારાષ્ટ્રમાં લાગુ કરાયું છે રાષ્ટ્રપતિ શાસન
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની કેબિનેટની ભલામણ પર મંજુરી આપી દીધી છે. પંજાબની મુલાકાતે રહેલા રાષ્ટ્રપતિ જેવા દિલ્હી પાછા ફર્યા તેમણે ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રપતિ શાસનની મોકલવામાં આવેલી ભલામણ પર મહોર લગાવી. આ સાથે જ મહારાષ્ટ્રમાં 24 ઓક્ટોબરથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતા પર વિરામ લાગી ગયું.