મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારનું પતન લગભગ નિશ્ચિત બન્યું છે. રાજકીય કટોકટીની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટની બેઠક બોલાવી હતી.
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ
સીએમ ઉદ્ધવ ઠાકરેએ બોલાવી કેબિનેટની બેઠક
8 મંત્રીઓ રહ્યાં ગેરહાજર
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટની બેઠક બોલાવી હતી પરંતુ તેમાં આદિત્ય ઠાકરે સહિતના 8 મંત્રીઓ ગેરહાજર રહ્યાં હતા. આ બેઠકમાં સીએમના રાજીનામા કે વિધાનસભા ભંગ કરવાની કોઈ દરખાસ્ત આવી ન હતી. બેઠકના અંતે ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે આગળ શું થશે તે અમે જોઈશું.
ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી શકે
એકનાથ શિંદેના બળવા બાદ મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર અલ્પમતમાં આવી છે તેને કારણે હવે ગમે તે ઘડીએ ઉદ્ધવ રાજીનામું આપી શકે છે. ધારાસભ્ય દળની બેઠક બાદ ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપશે તેવા સમાચાર છે. હાલમાં ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટીવ છે.
ઉદ્ધવ ઠાકરેએ સાંજે 5 વાગે બોલાવી ધારાસભ્યો અને સાંસદોની બેઠક
મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મોટા સમાચાર ઉદ્ધવ ઠાકરે શિવસેનાના ધારાસભ્યો અને સાંસદોને સાંજે 5 વાગે નિવાસે યોજાનારી બેઠકમાં હાજર રહેવા સૂચના આપી છે આ બેઠકમાં રાજકીય સંકટને લઈને બેઠકમાં થશે ચર્ચા. જોકે તે પહેલા બપોરે 1 વાગે કેબિનેટની બેઠક કરવામાં આવશે મંગળવાર સવારથી જ મહારાષ્ટ્રમાં શિવસેનામાં બળવાને લઈને મોટી ઊઠલપાથલ મચી ગઈ છે ત્યારે ઉદ્ધવ ઠાકરે સામે નારાજ નેતા એકનાથ શિંદેને માનવવાની જગ્યાએ રાજ્યમાં વિધાનસભા જ ભંગ કરી દેવાના સંકેત મળી રહ્યા છે.