ઉદ્ધવ ઠાકરે સરકારે બુધવારે મહારાષ્ટ્રમાં કોઈ પણ કેસમાં CBI (Central Bureau of Investigation) તપાસ પર રોક લગાવી છે. સરકારે કેન્દ્રીય તપાસ એજન્સીને આપવામાં આવેલી સહમતિ પરત લીધી છે. હવે CBIને રાજ્યમાં કોઈ પણ કેસની તપાસ પહેલાં મહારાષ્ટ્ર સરકારની પરમિશન લેવાની રહેશે. આ પહેલાં રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ જેવા બિન ભાજપ શાસિત રાજ્યો પણ આવો નિર્ણય લઈ ચૂક્યા છે.
ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય
હવે મહારાષ્ટ્રમાં તપાસ નહીં કરી શકે CBI
કોઈ પણ કેસની તપાસ પહેલાં મહારાષ્ટ્ર સરકારની પરમિશન લેવાની રહેશે
સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ પર નહીં થાય અસર
અધિકારીઓનું કહેવું છે કે મહારાષ્ટ્ર સરકારનો આ નિર્ણય સુશાંત સિંહ રાજપૂત કેસના માટે પ્રભાવી નહીં હોય. તેનું કારણ એ છે કે સુશાંત કેસમાં તપાસ સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી થઈ રહી છે આ માટે સીબીઆઈએ અનુમતિ લેવાની જરૂર નથી. બુધવારે મહારાષ્ટ્ર સરકારનો આ નિર્મય યૂપી પોલીસ દ્વારા ટીઆરપી સ્કેમ કેસમાં એફઆઈઆર નોંધાયાના એક દિવસ બાદ લેવાયો છે. યૂપી સરકારે કેસ સીબીઆઈને હેન્ડઓવર કર્યો છે.
મહારાષ્ટ્ર સરકારે આ TRP સ્કેમની તપાસની વચ્ચે સીબીઆઈની દખલ પર વાંધો ઉઠાવ્યો છે. મહારાષ્ટ્રના સત્તાધારી ગઠબંધને સીબીઆઈ દ્વારા કેસ નોંધવાને લીને રિપલ્બિલક ટીવીની વિરુદ્ધની તપાસને નબળી કરનારું ગણાવ્યું છે. TRP સ્કેમને લઈને રિપબ્લિક ટીવીની વિરુદ્ધમાં શરૂ થયેલી તપાસથી વિવાદ થઈ રહ્યો છે. મુંબઈ પોલિસે રિપબ્લિક ટીવીના નામ એ 3 ચેનલમાં રાખ્યા છે જે TRP સ્કેમમાં સામેલ છે.