મહારાષ્ટ્રમાં સત્તાનો સંઘર્ષ ચરમ સીમાએ પહોંચ્યો છે. શિવસેના, NCP અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર બન્યાં અગાઉ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું. રાષ્ટ્રપતિ શાસનને લઇને શિવસેના દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી જેના પર આજે સુનાવણી હાથ ધરાશે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના નેતા અહેમદ પટેલ સાથે મુલાકાત કરી છે.
શિવસેનાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
NCP-કોંગ્રેસનું શિવસેના સાથે ગઠબંધનને લઇને હજુ પણ સસ્પેન્સ
રાજ્યપાલની ભલામણને લઇને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન
ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ નેતા અહેમદ પટેલ સાથે કરી મુલાકાત
રાજ્યમાં બદલાતા સમીકરણ વચ્ચે મંગળવાર મોડી રાતે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ સાથે મુલાકાત કરી હોય તેવું સૂત્રોને જાણકારી મળી છે. એક મળતાં અહેવાલ મુજબ આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી. આ બેઠક અંદાજે અડધા કલાક જેટલી ચાલી હોવાનું સૂત્રોને જાણકારી મળી છે.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યા બાદ શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. શિવસેના તરફથી હાલમાં સુપ્રીમમાં રાજ્યપાલ દ્વારા વધુ સમય ન આપવાને લઇને અરજી દાખલ કરવામાં આી છે.
NCP અધ્યક્ષ શરદ પવાર નાગપુર જશે
NCP ના પૂર્વ મંત્રી અનિલ દેશમુખના જણાવ્યાં અનુસાર NCP અધ્યક્ષ શરદ પવાર ગુરૂવારના રોજ નાગપુરની મુલાકાત લેશે.