મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના કેસો વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે રાજ્યમાં એપ્રિલના અંત સુધીમાં લગભગ 12 લાખ સક્રિય કેસ હોઈ શકે છે.
કોરોનાના કેસોના મામલે મહારાષ્ટ્ર હાલમાં ટોચ પર છે
રાજ્યમાં કેસોની સંખ્યાની દૈનિક સરેરાશ 50 હજારની ઉપર છે
15 દિવસ માટે મહારાષ્ટ્રમાં પ્રતિબંધો લગગો કરવામાં આવ્યા છે
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ એક નિવેદનમાં શક્યતા જણાવી છે કે એપ્રિલના અંત સુધીમાં રાજ્યમાં 12 લાખ જેટલા એક્ટિવ કેસ હોઇ શકે છે, તેમણે પીએમ મોદીને પત્ર લખીને આ મુદ્દે મદદની માંગણી કરી છે. આ પત્રમાં મુખ્યમંત્રીએ કેન્દ્રની સામે અનેક માંગણીઓ મૂકી છે. મહત્વનું છે કે હાલમાં મહારાષ્ટ્રમાં હાલમાં 5.64 લાખ સક્રિય કેસ છે. ગયા વર્ષના સપ્ટેમ્બરની તુલનામાં આ 88 ટકા વધુ છે.
હાલમાં મહારાષ્ટ્રમાં 5.64 લાખથી વધુ એક્ટિવ કેસ
મુખ્યમંત્રીએ કહ્યું, "તમે જાણો છો કે સપ્ટેમ્બર 2020માં (પ્રથમ લહેરની પિક) દરમિયાન દેશભરમાં 10.5 લાખ સક્રિય કેસ નોંધાયા હતા. હાલની પરિસ્થિતિ પર અંદાજ લગાવી શકાય છે કે આગામી દિવસોમાં એકલા મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધીમાં11.9 લાખ કેસ હોઈ શકે છે. " નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં બુધવારે ચેપના લગભગ 59,000 નવા કેસ નોંધાયા છે.
સંક્રમણની બીજી લહેર જોઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 15 દિવસના સમયગાળા માટે કડક પ્રતિબંધો લગાવી દીધા છે. તેને મિની લોકડાઉન પણ કહેવામાં આવી રહ્યું છે.
'મહામારીને કુદરતી આપત્તિ જાહેર કરો'
વડા પ્રધાનને લખેલા પત્રમાં ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તે કોરોના રોગચાળાને કુદરતી આપત્તિ જાહેર કરવા વિચારણા કરે. એકવાર રોગચાળાને કુદરતી આપત્તિ જાહેર કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકારો અસરગ્રસ્ત લોકોને આર્થિક સહાય આપવા માટે રાજ્ય આપત્તિ પ્રતિક્રિયા ભંડોળ SDRF નો ઉપયોગ કરી શકશે. દરેક રાજ્યને આ ફંડનો ઉપયોગ કરવા માટે કેન્દ્રની પરવાનગીની જરૂર હોય છે, કેમ કે સેન્ટ્રલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના ભાગ રૂપે તમામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ્સ બનાવવામાં આવી છે.
'ઓક્સિજન સપ્લાય'
સીએમ ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાનને મહારાષ્ટ્રને 2 હજાર મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (એલએમઓ) સપ્લાય કરવાની માંગ પૂરી કરવામાં મદદ કરવા અપીલ કરી હતી. રાજ્ય હાલમાં એલએમઓનું 1,200 મેટ્રિક ટન ઉત્પાદન કરી રહ્યું છે અને એપ્રિલના અંત સુધીમાં માંગ 2,000 એમટી સુધી પહોંચવાની ધારણા છે.
રેમિડેસીવીરમાં સહાય કરો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં સીએમ ઠાકરેએ કેન્દ્રને વિનંતી પણ કરી હતી કે તેઓ ભારતીય પ્રાધિકાર અધિનિયમ 1970 ની કલમ 92 મુજબ ફરજિયાત લાઇસન્સ આપવા અધિકારીઓને સૂચના આપે. મુખ્યમંત્રીએ કહ્યું કે ઉત્પાદન સરળ બનાવવા માટે, નિકાસ એકમોને મંજૂરી માટે આ નિર્ણય કામ સરળ બનાવશે.