મુંબઇ: શિવસેના સાથે અંતર ઘટાડવા માટે અમિત શાહે ઉદ્ધવ ઠાકરને મળવે ભલે મુંબઇ જઇને મુલાકાત કરી હોય પરંતુ શિવસેના આ અંતર ઘટાડવાના મૂડમાં જોવા મળી રહ્યા નથી. આગળની લોકસભા ચૂંટણીમાં શિવસેનાના એકલા દમ પર ચૂંટણી લડવા માટેની વાત કરતાં ઉદ્ધવ ઠાકરે જાહેરાત કરી છે કે શ્રીનિવાસ વનગા પાલઘર લોકસભા ક્ષેત્રથી પાર્ટી ઉમેદવાર હશે. રસપ્રદ વાત એ છે કે તાજેતરમાં સંપન્ન લોકસભા પેટાચૂંટણીમાં વનગા ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ગાવિતથી હારી ગયા હતા.
શિવસેનાના 52માં સ્થાપના દિવસના પ્રસંગે ઉદ્ધવ ઠાકરેએ પાર્ટી કાર્યકર્તાઓને ધર-ધર જઇને કહ્યું. એમને કાર્યકર્તાને કહ્યું કે 'તમે ઘર-ઘર જાવ અને જાણો કે કેન્દ્ર અને રાજ્યસરકારની યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે કે નહીં. એમને ભાજપ સંપર્ક ફોર સમર્થન અભિયાનની શરૂઆત કરી છે તમે સત્ય શોધન અભિયાન ચલાવો. તમે જાણો કે લોકોને યોજનાઓનો લાભ મળી રહ્યો છે કે નહીં.'
ઉદ્ધવ ઠાકરે કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું કે લોકસભા આ વર્ષના ડિસેમ્બરમાં થશે. આ ચૂંટણી એપ્રિલ-મે માં થશે નહીં. પાર્ટી મુંબઇ- બરોડા એક્સપ્રેસ વે નો પણ વિરોધ કરશે. કારણ કે આ યોજનાથી મહારાષ્ટ્રથી વધારે ગુજરાતને લાભ મળશે.
શિવસેનાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા. દેશના ખેડૂચો અને એમની ખેતી કોમામાં જઇ ચુકી છે. પરંતુ મોદી સરકાર વારંવાર જુમલે બાજી કરવામાં લાગી છે.
શિવસેનાએ કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે દેશભરના ખેડૂતો સાથે વાતચીત કરી. મોદીએ કહ્યું કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરીશું. પરંતુ પ્રશ્ન એ છે કે એમાં મવું શું છે.
શિવસેનાએ કહ્યું કે 2014થી અત્યાર સુધી દેશમાં 40 હજાર ખેડૂતોએ આત્મહત્યાઓ કરી છે એમાં પણ મહારાષ્ટ્ર જ આગળ છે.