મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આવાસને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ફોન કરનાર વ્યક્તિએ પોતે દાઉદ ઈબ્રાહીમના માણસ હોવાનું કહ્યું, અત્યારે માતોશ્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
CM ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીને ઉડાવી દેવાની ધમકી
ધમકી બાદ માતોશ્રીની વધારાઈ સુરક્ષા
દાઉદના સાગરીતોએ ધમકી આપી હોવાનું આવ્યુ સામે
મહારાષ્ટ્રમાં કથિતરૂપે દાઉદ ઈબ્રાહીમના સાગરીતોએ માતોશ્રીમાં ફોન કર્યો છે જે બાદ આવાસની વધારી દેવામાં આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે લેન્ડલાઈન નંબરથી આવેલા ફોન પર કરવામાં આવ્યો અને તે વ્યક્તિએ પોતાને દાઉદનો માણસ હોવાનો ખુલાસો કર્યો.
અહેવાલ અનુસાર ઉદ્ધવ ઠાકરેના બાંદ્રા સ્થિત ઘર માતોશ્રીમાં શનિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો. લેન્ડલાઈન નંબરથી આ ફોન કરવામાં આવ્યો અને પોતે દાઉદનો માણસ છે તેવો તે વ્યક્તિએ ખુલાસો કર્યો. તે શખ્સે કહ્યું કે તે દાઉદ સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરવા માંગે છે. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે તે માતોશ્રીને બોમ્બથી ઉડાવી દેશે.
જોકે તુરત જ આ વાતની જાણ પોલીસને કરી દેવામાં આવી. ફોન કોલ આવ્યા બાદ મહારાષ્ટ્રના ગૃહ વિભાગના અધિકારીઓ સીએમના ઘર અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી રહી છે. આવાસની સુરક્ષામાં વધારાની પોલીસ ખડકી દેવામાં આવી છે.
નોંધનીય છે કે આ પહેલા પણ જ્યારે શરદ પવાર રાજ્યના મુખ્યમંત્રી હતા તે સમયે ઉદ્ધવ ઠાકરેના ઘરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. વર્ષ 2019માં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા છે. તેમના દીકરા આદિત્ય ઠાકરે પણ મંત્રી છે.