મહારાષ્ટ્ર સરકારે ઔરંગાબાદ એરપોર્ટનું નામ બદલી છત્રપતિ સંભાજી મહારાજ એરપોર્ટ કરી દીધું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ અવસર પર મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઇએ જણાવ્યું કે મહાવિકાસ અઘાડી ગઠબંધન (શિવસેના, કોંગ્રેસ અને NCP) રાજ્યના લોકોને આપેલા વચન પુરા કરવા માટે કટિબદ્ધ છે.
ઉદ્ધવ સરકારે ઔરંગાબાદ એરપોર્ટનું નામ બદલ્યું
એરપોર્ટ હવે છત્રપતિ સંભાજી મહારાજના નામથી ઓળખાશે
ઔરંગાબાદનું નામ બદલવા માટે પણ પ્રક્રિયા શરૂ કરાઇ
આ વચ્ચે મહારાષ્ટ્ર અને ઔરંગાબાદ જિલ્લાનું નામ બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભાજપે કેટલાંક દિવસ પહેલા માગ કરી હતી કે આ જિલ્લાનું નામ બદલી સંભાજી નગર કરી દેવામાં આવે. ત્યાર બાદ જિલ્લા તંત્રએ રેલવે અને ભારતીય પોસ્ટ સહિત અલગ-અલગ અનાપતિ પ્રમાણ પત્ર (NOC) મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે આ અંગેની જાણકારી આપી.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે શહેરનું નામ બદલવાની પોતાની પાર્ટીની માગ ફરી જણાવી હતી. જો કે તેની સાથે શિવસેનાએ પણ દાવો કર્યો હતો કે પાર્ટીના તત્કાલિન અધ્યક્ષ બાલાસાહેબ ઠાકરેએ 25 વર્ષ પહેલા આ કરી ચૂક્યાં છે. તેના પર કાર્યવાહક કલેકટર ભાનૂદાસ પાલવેએ કહ્યું કે રાજ્ય સરકારના નિર્દેશ પર ઔરંગાબાદનું નામ બદલવા માટે જિલ્લા તંત્રએ રેલવે અને પોસ્ટ વિભાગ પાસેથી NOC લેવા જણાવ્યું. પાલવેએ કહ્યું કે જેવા અમને દસ્તાવેજ મળે છે, અમે તેને ઉચ્ચ અધિકારી પાસે મોકલી આપીશું.
મહારાષ્ટ્ર ભાજપા અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે ગત અઠવાડિયે ઔરંગાબાદ નગરપાલિકામાં ભાજપાના પદાધિકારીઓની સાથે બેઠક બાદ જણાવ્યું હતું કે અમે છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના દિકરા છત્રપતિ સંભાજી મહારાજના વંશજ છીએ, ન કે ઔરંગઝેબના. એટલા માટે માટે બધા નડતરોને દૂર કરી ઔરંગાબાદનું નામ જલ્દી થી જલ્દી બદલી સંભાજી નગર કરવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે અંદાજે 25 વર્ષ પહેલા મહારાષ્ટ્રની તત્કાલિન સરકારમાં સામેલ શિવસેનાએ ઔરંગાબાદનું નામ બદલવાની માગણી કરી હતી. જૂન 1995માં ઔરંગાબાદ નગરપાલિકાની જનરલ બોડી મીટિંગમાં તેને લઇને પ્રસ્તાવ પણ પસાર કરાયો હતો. જો કે કોંગ્રેસના એક કોરપોર્ટરે તેના પહેલા હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.