મહારાષ્ટ્રની સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમોને 5 ટકા અનામત મળશે. શુક્રવારે તેની જાહેરાત કરતા ઉદ્ધવ સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું હતું કે, હાઇકોર્ટના આદેશથી મુસ્લિમોને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં 5 ટકા અનામત મળશે, આ માટે અમે વહેલી તકે કાયદો બનાવીશું. તેમણે અગાઉની ફડણવીસ સરકાર પર પણ નિશાન સાધ્યું હતું.
મુસલમાનોને લઈને ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય
સરકારી સ્કૂલમાં મળશે 5 ટકા અનામત
ફડણવીસે સરકાર પર સાધ્યું નિશાન
કેબીનેટ પ્રધાન નવાબ મલિકે કહ્યું હતું કે, આ મામલો હાઇકોર્ટમાં ગયા પછી સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં પાંચ ટકા અનામત ચાલુ રાખવાનો આદેશ છે, પરંતુ ડિસેમ્બર 2014 માં, તે વટહુકમ પૂરો થયો હતો.
અગાઉની સરકારે તે અંગે કોઈ કાર્યવાહી ન કરી હોવાનું મલિકનું નિવેદન
અગાઉની સરકારે તે અંગે કોઈ કાર્યવાહી કરી ન હતી. સભ્યોએ માંગ કરી હતી કે અનામત આપવામાં આવે. અમે જાહેરાત કરી છે કે હાઇકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત આપવાની માન્યતા આપી છે અને વહેલી તકે તેને ઝડપી બનાવી દેશે.
Nawab Malik, Maharashtra Minister: High Court had given its nod to give 5% reservation to Muslims in government educational institutions. Last govt did not take any action on it. So we have announced that we will implement the HC's order in the form of law as soon as possible. pic.twitter.com/20Por8xiX9
આ અગાઉ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુસ્લિમોને અનામત આપવાની હિમાયત કરી હતી. 2018 માં ઉદ્ધવ ઠાકરેએ તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા કહ્યું હતું કે 'મરાઠા સમુદાયના અનામત અંગે બોમ્બે હાઈકોર્ટના આદેશનું સરકાર ભંગ કરી રહી છે. જ્યારે સરકારે ફક્ત મરાઠાઓને જ નહીં પરંતુ ઢાંગર અને મુસ્લિમ સમુદાયોને પણ અનામત આપવાનું વિચારવું જોઇએ.