મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્ર સરકારે 16 નવેમ્બરથી શરતો સાથે તમામ મંદિરો ખોલવાની મંજૂરી આપી દીધી છે.
મહારાષ્ટ્ર સરકારે આપી મંજૂરી
ધાર્મિક સ્થળો ખોલવાની આપી મંજૂરી
કોરોના ગાઈડલાઇનનું કરવું પડશે પાલન
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્ર સરકારે 16 નવેમ્બરથી શરતો સાથે તમામ મંદિરો ખોલવાની મંજૂરી આપી દીધી છે. મંદિરોમાં આવનારા મુલાકાતીઓએ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. માસ્ક પહેરીને મંદિરને જવા દેવામાં આવશે.
કોરોના નિયમોનું કરવું પડશે પાલન
સરકાર દ્વારા સુચના પણ આપવામાં આવી છે કે સામાજિક અંતરનાં નિયમો સુનિશ્ચિત કરવા પડશે. મંદિરોમાં વધારે ભીડ ન હોવી જોઈએ. મહારાષ્ટ્ર સરકારનો આદેશ જારી કર્યા પછી સિદ્ધિવિનાયક ટ્રસ્ટ બાંડેકરે કહ્યું કે તેમને 15 નવેમ્બરના રોજ આ હુકમની નકલ મળી જશે.
વિપક્ષી ભાજપ અને રાજ્યપાલ દ્વારા CM ઉદ્ધવ ઠાકરે ની કરાઇ હતી ટીકા
સિદ્ધિવિનાયક ટ્રસ્ટના આદેશ બાંડેકરે પણ જણાવ્યું હતું કે હુકમની નકલ મળ્યા બાદ બેઠક બોલાવવામાં આવશે. તેમણે કહ્યું કે તે એકદમ શક્ય છે કે એક દિવસ પછી મંદિર ખુલશે. મહત્વનું છે કે, મંદિર ખોલવાના મુદ્દે મહારાષ્ટ્ર સરકાર સામે ભાજપે મોરચો ખોલ્યો હતો. આ સાથે જ સાધુ સમાજ દ્વારા પણ સરકારને અલ્ટિમેટમ અપાયું હતું. રાજ્યપાલે પણ આ અંગે CM ઉદ્ધવને પત્ર લખ્યો હતો.
ઉદ્ધવ ઠાકરે ને લખેલા પત્રમાં રાજ્યપાલે હિન્દુત્વ માટે શિવસેના ની ટીકા કરી હતી. રાજ્યપાલના આ પત્ર બાદ આ મુદ્દાએ રાજકીય રંગ લીધો. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCP ના પ્રમુખ શરદ પવારે ગવર્નરના પત્રની ભાષા પર વાંધો ઉઠાવતાં પીએમ મોદી ને પણ ફરિયાદ કરતો એક પત્ર લખ્યો હતો.