મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર ગત ફડણવીસ સરકારના એક નિર્ણયને બદલવા જઇ રહી છે. ઉદ્ધવ સરકાર નગર નિગમ અને નગર પંચાયતોના નગર અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા બદલી ફરી જૂની સિસ્ટમ લાવવા જઇ રહી છે.
ઉદ્ધવ સરકારે ગત ફડણવીસ સરકારના વધુ નિર્ણયને બદલ્યો
નગરપરિષદ અને નગર પંચાયતોના નગર અધ્યક્ષની પ્રક્રિયા બદલી
ફડણવીસ સરકારમાં નગર અધ્યક્ષની ચૂંટણી જનતાથી કરવાની નવી પ્રક્રિયા કરાઇ હતી શરૂ
કોંગ્રેસ-NCP ની જૂન સરકારમાં નગર પરિષદ અને નગર પંચાયતોમાં નગર અધ્યક્ષની પસંદગી જનતાના ચૂંટાયેલા નગરસેવકો કરતા હતા. રાજ્યમાં જ્યારે 2014માં ભાજપ-શિવસેના સરકાર આવી ત્યારે ડિવિઝન ચૂંટણી પ્રક્રિયા લાગૂ કરવામાં આવી અને નગર અધ્યક્ષની પસંદગી સીધી જનતા દ્વારા કરવાની નવી પ્રક્રિયા લાગુ કરવામાં આવી.
આમ હવે આ નિર્ણયને મહાવિકાસ અઘાડીની ઠાકરે સરકારે બદલી નાંખ્યો છે. હવે ફરી જૂની પ્રણાલીને લાગુ કરવાનો નિર્ણય મંત્રીમંડળે લીધો છે. આમ હવે નગર અધ્યક્ષની પસંદગી હવે નગરસેવક જ કરશે.
આ અંગે બુધવારે રાજ્ય મંત્રીમંડળે નગર અધ્યક્ષની ચૂંટણી નગર સેવકો દ્વારા કરવા માટે મહારાષ્ટ્ર નગરપરિષદ, નગરપંચાયત તેમજ ઔદ્યોગિક નગરી અધિનિયમ 1965માં સંશોધનને મંજૂરી આપી દીધી છે. પ્રસ્તાવિત સંશોધન માટે અધ્યાદેશ જારી કરવાની મંજૂરી માટે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પાસે મોકલી દેવામાં આવશે.