ઉદયપુર હત્યાકાંડના આરોપીઓ પર શનિવારે જયપુરમં એનઆઈએ કોર્ટ બહાર ગુસ્સે થયેલી ભીડે હુમલો કરી દીધો હતો. કોર્ટ પરિસરની બહાર પોલીસની સુરક્ષા દરમિયાન લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો.
ઉદયપુર હત્યાકાંડના આરોપીઓને NIA કોર્ટમાં રજૂ કરાયા હતા
આ દરમિયાન ભીડે આરોપીઓ પર હુમલો કર્યો હતો
પોલીસે 10 દિવસની માગી છે રિમાન્ડ
ઉદયપુર હત્યાકાંડના આરોપીઓ પર શનિવારે જયપુરમં એનઆઈએ કોર્ટ બહાર ગુસ્સે થયેલી ભીડે હુમલો કરી દીધો હતો. કોર્ટ પરિસરની બહાર પોલીસની સુરક્ષા દરમિયાન લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો.
આ દરમિયાન પોલીસે ભીડથી ચારેય આરોપીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ પોલીસ વાહનમાં બેસાડીને લઈ ગયા હતા. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આરોપીઓને ભીડથી બચાવવું કેટલુ અઘરુ પડ્યું હતું.
NIA કોર્ટે ચારેય આરોપીઓને શનિવારે 10 દિવસની રિમાન્ડ પર NIA મોકલી દીધા હતા. આ અગાઉ તમામ આરોપીને જયપુર સ્થિત NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
#WATCH | Udaipur murder incident: Accused attacked by an angry crowd of people while being escorted by police outside the premises of NIA court in Jaipur
All the four accused were sent to 10-day remand to NIA by the NIA court, today pic.twitter.com/1TRWRWO53Z
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 2, 2022
આપને જણાવી દઈએ કે, આ અઠવાડીયે મંગળવારે ઉદયપુરમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટને લઈને ગૌસ મહોમ્મદ અને મોહમ્મદ રિયાઝે ધોળા દિવસે દુકાન પર કનૈયાલાલની હત્યા કરી નાખી હતી.
બંનેએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો અને એક અન્ય વીડિયોમાં બંને ધારદાર હથિયાર બતાવતા પોતાનો ગુનો પણ કબૂલ્યો હતો. પીએમ મોદીને મારવાની પણ ધમકી આપી ચુક્યા છે. જો કે, ઘટનાના દિવસે જ પોલીસે બંનેની ધરપકડ કરી લીધી હતી. ત્યાર બાદ પોલીસે અન્ય બે લોકોની પણ ધરપકડ કરી હતી.
આ તમામની વચ્ચે હત્યામાં સામેલ આરોપીઓના પાકિસ્તાની કનેક્શન અને આતંકવાદી ગ્રુપ સાથે સંબંધ હોવાની વાત પણ સાામે આવી હતી. ત્યારે આવા સમયે આ મામલાની ગંભીરતા જોતા રાષ્ટ્રીય તપાસ એજન્સી આ મામલે પડતાલ કરી રહી છે.