તાજેતરમાં હજૂ ઉદયપુરમાં થયેલી હત્યાનો મામલો શાંત પડ્યો નથી, ત્યાં મહારાષ્ટ્રના અમરાવતીમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક શખ્સનું ગળુ કાપીને હત્યા કરી નાખવામાં આવી છે.
મહારાષ્ટ્રમાંથી ઉદયપુર જેવી ઘટના સામે આવી
મેડિકલ સ્ટોરના વેપારીની ગળુ કાપની હત્યા કરી નાખી
સૂત્રોના જણાવ્યા અનુસાર તેણે પણ ફેસબુકમાં નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી
મહારાષ્ટ્રના અમરાવતીમાં 22 જૂનના રોજ એક 50 વર્ષના શખ્સનું ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ અમરાવતી પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિત શખ્સ મેડિકલ સ્ટોર ચલાવતો હતો અને તેને નૂપુર શર્માનું સમર્થન પણ કર્યું હતું. કહેવાય છે કે, હત્યા પાછળ આ જ કારણ હોઈ શકે છે. આ શખ્સે હાલમાં જ નૂપુર શર્માના સમર્થનમાં ફેસબુકમાં એક પોસ્ટ કરી હતી.
તો વળી આ મામલે તપાસ કરવા માટે NIAની એક ટીમ આજે અમરાવતી પહોંચી છે. પોલીસ સૂત્રોનું કહેવુ છે કે, ચારેય આરોપીઓએ જણાવ્યું છે કે, તેમણે આ ઘટના એક શખ્સના કહેવા પર કરી છે. હાલમાં પોલીસ માસ્ટર માઈન્ડની શોધ કરી રહી છે.
તો વળી હત્યા બાદ આજૂબાજૂના લોકો પણ ભડકી ગયા હતા. લો એન્ડ ઓર્ડર ખરાબ ન થાય એટલા માટે પોલીસ આ મામલો વધારે બહાર આવવા દેતી નથી. પોલીસે પહેલા દિવસે એવું કહીને આ મામલો દબાવી દીધો હતો કે, આ આખી ઘટના લૂંટના મામસા પર છે, જેને લઈને NIA તપાસ કરવા માટે પહોંચી છે.
શું છે આખો મામલો
મહારાષ્ટ્રના અમરાવતીમાં ગત અઠવાડીયે 22 જૂને એક વેપારીની હત્યાને લઈને ચર્ચા જોરશોરથી ચાલી હતી. જીવ ગુમાવનારા શખ્સની ઉંમર 50 વર્ષ હતી અને તે મેડિકલના સાધનોનો વેપાર કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ શખ્સનું નામ ઉમેશ કોલ્હે છે. હુમલાખોરોએ કોલ્હે પર હુમલો કરીને ગળુ કાપી નાખ્યું હતું.