ફોટોઝ જોઈને તમારા રૂંવાટા ઊભા થઈ જશે...કંઝાવાલા કેસ જેવો જ એક બનાવ ઉદયપુરમાં પણ બન્યો છે. ઘટના બાદ છેલ્લે યુવકનું મોત નિપજ્યું હતું.
કંઝાવાલા જેવો જ કેસ બન્યો ઉદયપુરમાં
200 મીટરથી વધુ ઘસેડ્યું યુવકને
કારમાં સવાર પાંચ લોકોએ દર્શાવી નિર્દયતા
દિલ્હીમાં વર્ષની શરૂઆતમાં અંજલિને કાર સવાર યુવકોએ 14 કિ.મી સુધી ઘસડી જતાં તેનું કરૂણ મોત થયું હતું. તો હવે ઉદયપુર શહેરનાં ઘંટાઘર સ્ટેશન વિસ્તારમાં આવી જ એક હદયકંપી ઘટના બની છે. જેમાં કાર સવાર પાંચ યુવકોએ એક યુવકને 200 મીટરથી વધુ ઘસેડ્યું. તે ચીસો પાડતો રહ્યો પરંતુ કાર સવારોનો એકવાર પણ જીવ ન કચવાયો...
સમગ્ર મામલાનો ખુલાસો
આ યુવકનું નામ હેમરાજ મેઘવાળ હતું. કારથી ઘસેડાયા બાદ યુવક મૃત્યુ પામ્યો હતો. આ ઘટના શનિવાર રાત્રે બની હતી. સોમવારે સીસીટીવી ફુટેજ સામે આવ્યા બાદ સમગ્ર મામલાનો ખુલાસો થયો છે. સોમવારે તેના શવને અંતિમ સંસ્કાર માટે વૈકુંઠ ધામ સેવા સંસ્થાનને સોંપી દેવામાં આવ્યું.
200 મીટરથી પણ વધુ પોતાની કારથી ઘસેડ્યું
હેમરાજ મેઘવાળ નામના યુવકને કાર સવાર પાંચ યુવકોએ 200 મીટરથી પણ વધુ પોતાની કારથી ઘસેડ્યું હતું. હેમરાજ મેઘવાળનાં માતા-પિતા નથી. તે ઘણો ગરીબ છે અને ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવે છે. માનવામાં આવી રહ્યું છે કે આ સ્થિતિને લીધે પોલીસે આ મામલાને વધુ મહત્વ આપ્યું નહીં. જો કે સીસીટીવી ફુટેજ સામે આવ્યાં બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે.
પોલીસે મામલાને ન આપ્યો મહત્વ...
સોમવારે શવને અંતિમ સંસ્કારનાં વૈકુંઠ ધામ સેવા સંસ્થાનને સોંપી દેવામાં આવ્યું છે. પોલીસને જ્યારે જાણ થઈ કે હેમરાજ મેઘવાળનાં માતા-પિતા પહેલાંથી જ મરી ચૂક્યાં છે અને તે ખુદ ભીખ માગીને પોતાનું જીવન વ્યતિત કરી રહ્યો હતો. તેથી આ મામલાને પોલીસે ખાસ મહત્વ આપ્યું નથી પરંતુ હેમરાજની મોતની ફુટેજ સામે આવ્યાં બાદ હવે અનેક સવાલો ઊઠી રહ્યાં છે.